SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર એટલે નીચેના સ્થાનકોમાં રહેલા દલિકને ઉપરના સ્થાનકમાં ગોઠવે. ત્યારપછી બંધને અંતે કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પહેલે સમયે પૂર્વોક્ત છ કમને જઘન્ય પ્રદેશોદય થાય તે જઘન્ય પ્રદેશદય પહેલા સમયે એક સમય જ થતું હોવાથી સાદિ અને સાત છે. તે સિવાય અન્ય સઘળો પ્રદેશદય અજઘન્ય છે. તે અજઘન્ય પ્રદેશોદય બીજા સમયે થતું હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભીને ધ્રુવ અને ભવ્યને અધવ છે. તથા તે જ છ કર્મને અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે–આ છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશોદય જેનુ સ્વરૂપ આગળ ઉપર કહેવાશે તે ગુણિતકમાંશ' આત્માને પિતાપિતાના ઉદયને અને ગુણણિના શિરભાગમાં વત્તતા હોય છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશદય માત્ર એક સમય જ હોય છે માટે સાદિ સાંત છે. • તે સિવાય અન્ય સઘળે અનુષ્ટ પ્રદેશોય છે અને તે સર્વદા પ્રવર્તતે હેવાથી અનાદિ છે. કારણ કે જ્યાં સુધી આત્માએ જે ગુણસ્થાનકના જે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી અનુણ પ્રદેશોદય હોય છે, તથા અભયને અનંત અને ભવ્યને સાંત છે. મેહનીયકર્મનો અજઘન્ય અને અનુલૂણ એ બંને પ્રકારનો પ્રદેશોદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે– પ્રમાણમા ભોગવાય તેથી જઘન્ય પ્રદેશદય ન થાય. માટે દેવલોકમાંથી એકેન્દ્રિયમાં જવાનું કહ્યું. નીચેના સ્થાનકાના દલિ ઉપરના થાનકમાં જ્યારે ગોઠવાય ત્યારે નીચેના સ્થાનમાં દલિ આછા રહે તેથી જધન્ય પ્રદેશોદય થઈ શકે માટે ઉઠતેના કરવાનું જણાવ્યું. જે કર્મદવિ બંધાય અને ઉદર્તિત થાય તેની જે આવલિકા પૂર્ણ થાય તે તે ઉદીરણ ૫ થાય અને જે ઉદીરણા થાય તે પણ જધન્ય પ્રદેશદય ન થાય માટે તે થતાં પહેલા અને અલ્પ યોગ પ્રથમ સમયે હાય માટે પ્રથમ સમયે જધન્ય પ્રદેરોદય થાય એમ કહ્યું છે. ૧ ગુણિતકમશ એટલે વધારેમાં વધારે કમીશની સત્તાવાળા આત્મા. ૨ ગુણણિનો શિરભાગ તેને કહે છે કે જે સ્થાનની અ દર વધારેમાં વધારે દલિ ગોઠવાયા હોય. સમ્યકત્વાદિ પ્રાપ્ત કરતાં અંતના સમય પ્રમાણુ સ્થાનમાં પૂર્વ પૂર સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે દારચના થાય છે. આ ક્રમે અંતમુહૂર્તના છેલ્લા સમયમાં સર્વથી વધારે દલિક ગોઠવાય છે તેને ગુણણિનું શિર કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાનકના સા ખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિને સર્વાવતના વડે અપવર્તી બારમાં ગુણસ્થાનકની જેટલી સ્થિતિ શેષ રહી છે તેના જેટલી કરે છે અને ઉપરનાં દલિક ઉતારી તે અંતમાં ગુણશ્રેણિના કામે ગોઠવે છે. તે અતિમુહૂર્તને છેલ્લે સમય એ ગુણશ્રેણિનું શિર છે, તે જ બારમા ગુરુસ્થાનકનો ચરમસમય છે. ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદા ઘટે છે એ રીતે નામ ગેત્ર અને વંદનીયકર્મની તેરમાના ચરમસમયે ચૌદમાં ગુણસ્થાનકના કાળ પ્રમાણ ગુણએણિ કરે છે એટલે ચૌદમાં ગુણસ્થાનકને છેલે સમય એ ત્રણ કર્મની ગુણણિનું શિર છે એટલે તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. : - જ.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy