SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર દક થઈને કુરી કેઈપણ કર્મને વેદત નથી. સઘળા કમને અવેદક આત્મા સિદ્ધાવસ્થામાં થાય છે ત્યાંથી સંસારમાં આવવું નથી કે ફરી કમને વેદક થાય. માટે અવક્તવ્યોદય નથી. હવે ઉદીરણાસ્થાનકે કહે છે-ઉદીરણાનાં પાંચ સ્થાન છે. તે આઆઠ, સાત, છ, પાંચ, અને છે. તેમાં જ્યાં સુધી આયુની પતાવલિકા શેષ ન રહી હોય ત્યાં સુધી પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનકપત આઠે કર્મની ઉદીરણ હોય છે. અંતમુહૂર્ત શેવ આયુ રહે ત્યારે જ આત્મા ત્રીજે ગુણસ્થાનકેથી પહેલું કે ચોથે ચાલ્યા જાતે હેવાથી ત્યાં આઠ કર્મની જ ઉદીરણા હોય છે. સાતમાથી દશમા ગુણસ્થાનક પર્યત વેદનીય અને આયુવિના જ કર્મની ઉદીરણા થાય છે. અગીઆરમે અને બારમે ગુણસ્થાનકે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હેાય છે. તેરમે ગુણસ્થાનકે નામ અને ગોત્ર એ બેજ કમની ઉદીરણ હોય છે. આ પાંચ ઉદીરણસ્થાનમાં ભૂયસ્કાર ત્રણ છે. તે આ પ્રમાણે-ઉપશાંતમૂહ ગુણસ્થાનકે પાંચ કર્મને ઉદીરક થઈ ત્યાંથી પડી સુકમ સપરાય ગુણસ્થાનકે આવે ત્યારે કમને ઉરીરક થાય તે પહેલે ભૂયસ્કાર. ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આયુની આવલિકા શેવ રહે ત્યારે સાતને ઉદીરક થાય એ બીજે ભૂયસ્કાર. ત્યારપછી પર આઠને ઉરીરક થાય એ ત્રીજો ભૂથક્કાર. બેને ઉદીક ક્ષીણમેહ અને સગિ કેવળિ ગુણસ્થાનકે હોય છે આ બેમાંથી એક પણ પડતો નથી. માટે તેની અપેક્ષાએ ભૂયસ્કાર ઘટતું નથી. માટે ત્રણજ ભૂયસ્કાર ઘટે છે. અપર ચાર થાય છે. તે આ–આઠને ઉદીર, સાતના, સાતને ઉદરક છના ઈને ઉદીરક પાંચના અને પાંચ ઉદ્યીક બેના ઉદીરણા સ્થાને જાય છે માટે અલ્પતર ચાર ઘટે છે. તથા અવસ્થિત પાંચે સંભવે છે. તેમાં તેત્રીસ સાગરોપમના આયુવાળા દે કે નારદીઓ પિતાના આયુની શેષ એક આવલિકા ન રહે ત્યાં સુધી આઠે કર્મના ઉદીરક હોય છે માટે આઠ કર્મની ઉદીરણાને ઉત્કૃષ્ટ કાળ આવલિકા ચૂન તેત્રીસ સાગરપમ છે. આયુની જ્યારે એક આવલિકા શેપ રહે ત્યારે તે આવલિકામાં સાત કર્મની ઉદીરણા હોય છે માટે સાતકર્મની ઉદીરણાને કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકની પતાવલિકામાં અને અગીઆરમાં ગુણઠાણે મેહનીય વિના પાંચ કમની ઉદીરણા હોય છે માટે પાંચની ઉઠ્ઠીરણ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. તથા સગિ ગુણસ્થાનકનો દેશના પૂર્વ કૅટિ કાળ હોવાથી અને ત્યાં બે કર્મની ઉદીરણા થતી હોવાથી એની ઉદીરણાને કાળ દેશના પૂર્વકૈટી છે, માટે અવસ્થિત પાંચ ઘટે છે. ૧ આયુની પાવલિકામાં આવું વિના સાતને ઉદીરક આત્મા અઝમતે જાવ તેને વેદનીય વિના છ કર્મની ઉદારણ ઘટી શકે છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy