SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહ-ચતુથાર કા अभिगृहीतमनभिगृहीतं चामिनिवेशिकं चैव । सांशयिकमनाभोगं मिथ्यात्वं पञ्चधा भवति ॥ ४ ॥ અર્થ આશિહિક, અનાલિશહિક, આભિનિવેશિક, સાંશયિક, અને અનાગ એમ મિથ્યાત પાંચ પ્રકાર છે. ટીકાનુ–તત્વભૂત છવાડિપદાર્થોની અઝહા રૂપ એટલે કે આત્માના સ્વરૂપના અયથાર્થ જ્ઞાનરૂપ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે આભિગ્રહિક, અનાલિહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાભાગ. વંશપરંપરાથી પિતે જે ધર્મ માનીને આવ્યો છે તેજ ધર્મ સાથે છે બીજા સાચા નથી એ પ્રમાણે બુદ્ધ શિવ આદિ અસત્ય ધર્મોમાંથી કોઈ પણ એક ધમને તત્વબુદ્ધિએ ગ્રહણ કરવા વડે થયેલું જે મિાત્ર તે આમિગ્રહિક. આ મિથ્યાત્વના વશથી બાટિકાદિ-દિગંબરાદિ અસત્ય ધર્મોમાંથી કોઈપણ એક ધર્મ ગ્રહણ કરે છે, અને એનેજ સત્ય માને છે. સત્યાસત્યની પરીક્ષા કરી શકતું નથી. તેનાથી વિપરીત જે મિથ્યાત તે અનભિગ્રહિક. એટલે કે યથાત સ્વરૂપવાળે અધિગ્રહ-કઈ પણ એક ધર્મનું ગ્રહણ જેની અંદર ન હોય તે. આ મિથ્યાત્વના વશથી સઘળા થી સારા છે કે ખરાબ નથી, આ પ્રમાણે સાચા મેટાની પરીક્ષા વિના કાચ અને મણિમાં ભેદ નહિ સમજનારની જેમ કંઈક માધ્ય થવૃત્તિને ધારણ કરે છે. | સર્વ પ્રભુ શ્રી મહાવીરે કહેલ પદાર્થોને ઉખાડી નાખવારૂપ અભિનિવેશવડે થયેલું જે મિથ્યાત્વ તે આમિનિવેશિક. આ મિથ્યાત્વના વશથી ગષામાહિક આદિની જેમ સર્વ કહેલ પદાર્થોને ઉખાડી પિતાના માનેલા અને સ્થાપન કરે છે. સંશયવ થયેલું જે મિથ્યાત્વ તે સાંશયિક, જેના વશથી ભગવાન અરિહંતે કહેલ છવાદિ તમાં સંશય થાય છે. જેમ કે હું નથી સમજી શકો કે ભગવાન અરિહતે કહેલ ધમાંસ્તિકાયાદિ સત્ય છે કે નહિ. જેની અંદર વિશિષ્ટ વિચાર શક્તિના અભાવે સત્યાસત્યને વિચારજ ન હોય તે અનાગ મિથ્યાત્વ. અને તે એકેન્દ્રિયાદિ ને હેય છે. આ પ્રમાણે પાંચ મિથ્યાત્વનું સ્વરૂપ કહ્યું. ૨ ૧ અહિં કંઈક માળસ્થતિ ધારણ કરે છે એમાં કઈક મૂકવાનું કારણ એ કે વાસ્તવિક રીતે આ માધ્યસ્થતિ જ નથી. સાચા ખેટાની પરીક્ષા કરી સાચાને સ્વીકાર કરી છે. અન્ય ધર્મો પર હેપ ન રાખવે તે વાસ્તવિક માધ્યસ્થતિ છે. અહિં તે બધા ધર્મો સરખા માન્યા એટલે ઉપરથી માધ્યસ્થતા દેખાઈ એટલું જ માત્ર. ગોળ અને બાળ સરખા માનવાથી કંઈ માધ્યસ્થતા કહેવાતી નથી. ૨ અહિં એન્ડિયાદિને અનામેગ મિયાત્વા કહ્યું છે. પરંતુ આ જ ઠારની આ ગાથાની તથા પાચમી ગાથાની પ૩ ટકામાં સક્સિ-પચેન્દ્રિય પર્યાપ્ત સિવાયના જીવને અનભિગ્રહિક મિથ્યાવ કહેલ છે અને આ જ ગાથાની રપ૪ ટીકામાં “આગમને અભ્યાસ ન કરવો એટલે કે અગાન જ સારું છે.” એ અનાજોગ મિથ્યાત્વને અર્થે કરેલ છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy