SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ પંચસપ્રહ-તુતીયાર થતું નથી છતાં પણ ઘણા જીવોના શરીરને જયારે સમૂહ થાય ત્યારે તે ચક્ષુદ્વારા ગ્રહણ થાય છે. તેના હેતુભૂત જે કર્મ તે "બાહર નામકર્મ. જે કર્મના ઉદયથી જીવને સૂક્ષમ પરિણામ થાય કે જેને લઈ ગમે તેટલા શરીરને પિંડ એકઠા થાય છતાં દેખાઈ શકે નહિ તે સૂકમનામક. જે કર્મના ઉદયથી સ્વયેય પથમિ પૂર્ણ કરવામાં સમર્થ થાય તે પર્યાપ્ત નામક. જે કર્મના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ ન થાય, અધુરી પતિએ જ મરણ પામે તે અપર્યાતનામકર્મ. પર્યાપ્તિનું સ્વરૂપ પહેલા દ્વારમાંથી જોઈ લેવું. . જે કર્મના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ, તે કમને ઉદય પ્રત્યેક શરીરી જેને હેય છે. નારક, દેવ, મનુષ્ય, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, રિન્દ્રિય અસંજ્ઞિ પંચેન્દ્રિય પૃથ્વી, અપ તેલ વાઉ અને કઠ આમ્ર વિગેરે પ્રત્યેક વનસ્પતિ. એ પ્રત્યેક શરીરિ જીવે છે. તે સઘળાને પ્રત્યેક નામકમને ઉદય હોય છે. પ્રશ્ન–જો કોઠ અને આમ્ર આદિ વૃક્ષમાં પ્રત્યેક નામકને ઉદય માનીએ તે તેમાં એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર હોવું જોઈએ, તે તે હેતું નથી. કારણ કે કઠ પીપળે પીયુ અને સેલુ આદિ વૃક્ષના મૂળ કિંધ છાલ મોટી ડાળીઓ વિગેરે દરેક અવયવ અસંખ્ય જીવવાળા માનવામાં આવેલા છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એકાસ્થિક-એક બીજવાળા અને બહુ અજવાળા વૃક્ષની પ્રરૂપણના પ્રસંગે કહ્યું છે કે તે વૃક્ષના મૂળ અસંખ્ય જીવાળા છે. એટલે કે મૂળમાં અસંખ્ય જ હોય છે. એ પ્રમાણે કદ પણ, સ્કંધ પણ, છાલ પણું, મોટી ડાળીઓ પણું, અને પ્રવાલ પણ અસંખ્ય જીવવાળા છે પાંદડાં એક એક જીવવાળા છે. ઈત્યાદિ મૂળથી આરસી ફળ સુધીના સઘળા અવય દેવદત્તના શરીરની જેમ એક ૧ બાદર નામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિ છે. એટલે જીવને કંઇક બાદર પરિણામ ઉત્પન્ન કરી પુદગલ ઉપર અસર કરે છે. જેને લઈ એક અથવા અસંખ્ય શરીરને પિંડ ચક્ષનો વિષય થાય છે. જીવવિપાકી પ્રકૃતિ પુદગલ ઉપર પણ જરૂર અસર કરે છે. જેમ ક્રોધ નિદ્રા વિગેરે જીવવિપાકી છતાં તેની અસર પુદગલ પર થાય છે. તેમ બાદર અને સૂક્ષ્મ જીવવિપાકી છતાં પુદગલ પર અસર થાય છે. એમ ન હોય તે બાદરનું પણ ઔદારિક શરીર છે, સૂમનું પણ ઔદારિક શરીર છે. બંનેના શરીર અનતાનત વગણના બનેલા છે છતાં ગમે તેટલા સૂક્ષ્મ જીવોના શરીરે એકઠા થવા છતા તે દેખાય જ નહિ અને બાદર છના એક અથવા અસ થે શરીરને પિંક દેખાય તેનું કારણ શું ? કારણ એજ કે બાદર અને સુમનામક જીવ પર પિતાની અસર ઉત્પન્ન કરી પુગલપર અસર કરે છે. તેથીજ એ અર્થ કરવામાં આવ્યો છે કે , જે કર્મના ઉદયથી ચક્ષુથી દેખી શકાય એવા સ્થૂળ શરીરની પ્રાપ્તિ થાય તે બાદર નામકર્મ, અને તેનાથી વિપરીત સુમનામકર્મ, બાદર નામકર્મ જે છત્રવિપાકી ન હોત તો ચૌદમે ગુરુસ્થાનકે તેને ઉદય હેઈ શકે-જ- નહિ કેમકે ચૌદમે ગુણસ્થાનકે માત્ર છ વિપાકી પ્રકૃતિઓને જ ઉદય હોય છે. ૨ મૂળીયા ઉપર જમીનમાં રહેલા ભાગને કદ કહે છે, અને જમીન બહાર નીકળવા ભાગને સ્કંધ કહે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy