SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પંચમહત્વતીયહાર મનુષ્યત્વ દેવત્વાદિ તે તે પર્યાય થવામાં હેતુભૂત જે કમ તેને ગતિનામકર્મ કહે છે. જેમકે જે કર્મના ઉદયથી આત્માને દેવપર્યાય થાય તે દેવગતિ નામકર્મ, એ પ્રમાણે મનુષ્પગતિ આદિ માટે પણ સમજવું. હવે જાતિનામકર્મ કહે છે–અનેક ભેદ પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ છેને એકેન્દ્રિય ત્યાહિરૂપ જે સમાન-એકસરખે પરિણામ કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવને એકેન્દ્રિશારિરૂપે વ્યવહાર થાય એવું જે સામાન્ય તે જાતિ, અને તેના કારણભૂત જે કમ તે જાતિનામકર્મ, અહિં તાત્પર્ય આ પ્રમાણે છે-દ્રવ્યરૂપ બાહ્યા અને અભ્યતર નાસિકા અને કર્ણાદિ ઈન્દ્રિય આગેવાંગ નામકર્મ અને ઈન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે, અને ભાળિયે સ્પર્શનાદિ ઈન્દ્રિયાવરણ કમના શોપશમથી સિદ્ધ છે. શાસામાં કહ્યું છે કે-ઈન્દ્રિયાવરJય કર્મના ક્ષયે પશમથી ભાવેન્દ્રિય ઉત્પન્ન થાય છે. પરંતુ આ એકેન્દ્રિય છે, આ બે ઈન્દ્રિય છે, એવા શબ્દ વ્યવહારમાં કારણ તથા પ્રકારના સમાન પરિણામરૂપ જે સામાન્ય છે અન્યથી અસાધ્ય હેવાથી તેનું કારણ જાતિ નામક છે. કહ્યું છે કે વ્યભિચારિનિર્દોષ સરખાપણીવડે એક કરાયેલ જે વસ્તુ સ્વરૂપ તે જાતિ” તેના નિમિત્તભૂત જે કર્મ તે જાતિનામકર્મ. તે પાંચ પ્રકારે છે–૧ એકેન્દ્રિય જાતિનામકર્મ, ૨ બેઈન્દ્રિય જાતિનામક, ૩ (ઈન્દ્રિય જાતિનામકર્મ, ૪ ચૌરિન્દ્રિય જાતિનામકર્મ, અને ૫ પચેન્દ્રિય જાતિનામકર્મ, જે કર્મના ઉદયથી અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિય જીવમાં એવે સમાન પરિણામ થાય કે જેને લઈને સઘળાને આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકમ.. જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા બેઈન્દ્રિય માં એ કેઈ સમાન બાહા આકાર થાય કે જેને લઈ તે સઘળાને બેઈન્દ્રિય એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે બેઈન્દ્રિય જાતિનામકર્મ, એ પ્રમાણે તેઈન્દ્રિયદિ "જાતિનામકર્મને પણ અર્થ સમજ. ૧ જાતિ નામકર્મ એ કન્સેન્દ્રિય કે ભાવેન્દ્રિય થવામાં હેતું નથી કારણ કે બેન્દ્રિય અગોપાંગ નામક અને ઈન્દ્રિય પતિ વડે થાય છે, અને ભાવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે થાય છે, પરંતુ અનેક ભેદ પ્રભેદ વાળા પૃથ્વીકાય અકાથાદિ એકેન્દ્રિય માં સમાન આકાર-પરિણામ પ્રાપ્ત થવામાં, તેમજ એનિયની ચેતના શક્તિ બેઈન્દ્રિયથી અધિક ન હૈય, બેઇન્દ્રિયની ચેતના ઈનિથી અધિક ન હોય, એ પ્રમાણે ચેતના શક્તિની વ્યવસ્થા થવામાં જાતિ નામક કારણ છે. ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિમાં જાતિ નામક સંબધમાં આ પ્રમાણે જણાવ્યું છે-એન્ડિયાદિ છમાં એકજિયાદિ. શબ્દ વ્યવહારનું કારણ તથા પ્રકારના સમાન પરિણામ રૂપ જે સામાન્ય તે જાતિ, તેના કારણભૂત જે કર્મ તે જાતિ નામકમ * * *
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy