SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પચસંગ્રહ-દ્વિતીયાર આકાશપ્રદેશને ભાગતાં જે આવે તેટલા વ્યંતરદેવે છે. એટલે કે સંખ્યાતા જન પ્રમાણ સૂચિ શ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા વ્યંતરદેવે છે. અથવા આ પ્રમાણે પણ ક૫ને થઈ શકે-સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિશ્રેણિ જેવડાં પ્રતરના એક એક ખંડને દરેક વ્યતરે એક સાથે ગ્રહણ કરે છે તે સઘળા વ્યતરદેવે એકજ સમયે તે સંપૂર્ણ પ્રતાને ગ્રહણ કરી શકે છે. ભાવાર્થ એકજ છે. આ પ્રમાણે દરેક વ્યન્તર નિકાયના પ્રમાણ માટે પણ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે સઘળા વ્યન્તર દેવેનું પ્રમાણ કહ્યું તે પ્રમાણે એક એક ચતરનિકાયનું પ્રમાણ પણ સમજવું આ પ્રમાણે લેતાં સઘળા વ્યન્તરદેવેના સમૂહની પ્રમાણભૂત સંખ્યા સાથે વિરોધ નહિ આવે, કારણ કે પ્રતરના આકાશપ્રદેશને ભાગનાર જે સંખ્યાતા જન પ્રમાણ ચિણિના આકાશપ્રદેશ લેવાનું કહ્યું છે, તે સંખ્યાતુ નાનું મોટું લેવાનું છે. જ્યાં એક એક થનારની સંખ્યા કાઢવી હોય ત્યાં મોટી સંખ્યાતા જન પ્રમાણ સૂચિણિના આકાશપ્રદેશવડે ભાગવા, જેથી જવાબની સંખ્યા નાની આવે, અને સર્વ સમૂહની સંખ્યા કાઢવી હોય ત્યાં નાના સંખ્યાતા ચોજન પ્રમાણ સુચિણિના આકાશપ્રદેશવડે પ્રતરના આકાશપ્રદેશને ભાગવા, જેથી બધા વ્યંતરાના સરવાળા જેટલીજ સંખ્યા આવે. તેથી અહિં કંઈ વિરાધ નથી. ૧૪ હવે જોતિષ દેવેનું પ્રમાણ કહે છે 'छप्पन्न दोसयंगुल सूइपएसेहिं भाइओ पयरो। जोइसिएहिं हीर सहाणे त्यीय संखगुणा ॥१५॥ पट्पञ्चाशतशतद्वयांगुलानां सचिनदेशैर्भाजितः प्रतरः । ज्योतिष्कैहियते स्वस्थाने स्त्रियः संख्येयगुणाः ॥१५॥ અર્થ–બસે છપન્ન અંશુલ પ્રમાણ સૂચિ પ્રદેશવડે ભંગાયેલ પ્રતર તિષ દેવટે અપહેરાય છે સ્વસ્થાને દેવીઓ સંખ્યાતગુણી છે. ટીકાનુ–બસો છપન અંગુલ પ્રમાણ ચિણિમાં રહેલ આકાશપ્રદેશ વહે પ્રતના આકાશ પ્રદેશને ભાગતાં જે આવે તેટલા જોતિષ દેવો છે. અથવા બસ છપ્પન અબુલ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા પ્રતરના જેટલા ખડે થાય તેટલા જોતિષ દે છે. અથવા બસે છપ્પન્ન અંગુલ પ્રમાણુ સૂચિણિ જેવડા એક એક ખંડને એક સાથે સઘળા જ્યોતિષ દે અપહાર કરે તે એક જ સમયમાં તે સઘળા દે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. ત્રણેમાં તાત્પર્ય એકજ છે. * ૧ અહિં જોતિષદોની સંખ્યા જે રીતે બનાવી છે તેથી અનુગદ્વાર તથા પ્રજ્ઞાપના સુરમાં કંઈક જુદી રીતે બતાવી છે, તે આ પ્રમાણે-બેસે છપ્પન અંગુલ પ્રમાણુ ચિણિમાં જેટલા આકાશ પ્રશા હોવ તે વર્ષ કરતા જે સંખ્યા આવે તેટલા પ્રદેશ પ્રમાણ ઘનીકૃત લોકના એક પ્રતરના જેટલા ખંડે થાય તેટલા કુલ જોતિષીઓ છે, આ મત મુજબ પ્રથમ કરતાં ઘણી જ ઓછી સંખ્યા આવે - - -
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy