SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ ૧૦ જેમને ચારે ઘાતિકર્મના ક્ષયથી નિર્મળ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થયું છે એવાં આત્માઓનું જે ગુણસ્થાનક તે સગિ કેવલી ગુણસ્થાનક અહિં કાયયાગ દ્વારા આહાર-વિહાર, વચનયોગ દ્વારા દેશના અને મને ગદ્વારા અન્યક્ષેત્રમાં રહેલ અવવિજ્ઞાની તથા મન પર્યાવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર આપે છે. અતિમુહૂર્ત આયુ બાકી રહે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને આશ્રયી આ ગુણસ્થાનકને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. અને આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પુર્વાહ વર્ષના યુવાળાઓને આશ્રયી ઉત્કૃષ્ટ કાળ દેશના પૂર્વ વર્ષ પ્રમાણ છે. આ ગુણરથાનકને અંતર્મુહૂતકાળ શેષ રહે ત્યારે કેવલિસમુદઘાત કર્યા પહેલાં દરેક કેવલિએ આજિકારણ કરે છે. તેને આર્જિતકરણ અથવા આવશ્યક કરણ પણ કહેવાય છે. જે કેવલિ ભગવંતને આયુષ્ય કરતાં શેષ વેદનીયાદિ ત્રણ કર્મો અધિક હોય તે કેવલિ સમુદઘાત કરે છે. બીજાઓ કરતા નથી. બાંધતી વખતે જ ઉપક્રમને ચેષ એવાં વેદનીયાદિ કી બાંધેલાં હોય છે કે તેને ગળ્યા વિના જ નાશ કરવા છતાં કૃતનાશ, અકૃતાભ્યાગમ કે મુક્તિમાં અનાશ્વાસને કઈ પ્રસંગ આવતું નથી. આયુકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કમ સમયે સમયે બંધાય છે તેથી અથવા તણાવભાવે જ વેદનીયાદિ કર્મો આયુની સમાન અથવા તેથી અધિક હોય છે પણ આયુષ્યથી ન્યૂન હતાં જ નથી. દરેક કર્મ પ્રદેશદયથી ભેળવીને ક્ષય કરાય છે પણ રદયથી ભેગવીને નહિ, જે રદયથી ભોગવીને જ ક્ષય થાય તે જીવ કયારે પણ મેક્ષે જઈ શકે નહિ, જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિશેષપણે વેદનીયાદિ ત્રણ કમને ઘાત કરવામાં આવે તે કેવલિ સમુદઘાત કહેવાય છે. કેવતિ સમુદઘાત કરતે આત્મા પ્રથમ સમયે પિતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશ બહાર કાઢી જાડાઈ તથા પહોળાઈથી શરીર પ્રમાણ અને લંબાઈથી ચૌદ ૨જાનુ પ્રમાણ દંડ, બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તર કપાટ, ત્રીજા સમયે બાકી રહેલ દિશામાં બીજું કપાટ બનાવી મંથન કરે છે. અને ચેથા સમયે, મથાનના આંતરા પૂરી લોક વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમા સમયે મન્થાનને, છઠ્ઠ સમયે કપાટને સાતમા સમયે દંડ રૂપે કરેલ આત્મપ્રદેશને સંકેચ કરી આઠમા સમયે વશરીરથ થાય છે. પ્રથમના પાંચ સમય સુધી સમાઘાતના માહાભ્યથી સમયે સમયે સ્થિતિઘાત અને સઘાત કરે છે અને છડા સમયથી આ ગુણરથાનકના ચરમ સમય સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક રિથતિવાતે તથા વસઘાત કરે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy