SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસમપ્રથમહાર છે. તેમાં પૂર્વ૫દ્ધકેમાંની નીચલી જે પહેલી બીજી આદિ વગેરણાઓ છે, તેમાં જે વીર્યઅવિભાગ પવિત્ર છેદ-વર્યાણુઓ હોય છે, તેઓના અસંખ્યાતા ભાગ ખેચે છે, અને એક અસંખ્યાતમો ભાગ શેષ રાખે છે. અને જે જીવપ્રદેશ છે, તેને એક અસંખ્યાતમાં ભાગ ખેંચે છે, શેષ સઘળા ભાગે રાખે છે. એટલે કે આટલી સંખ્યાવાળા જીવપ્રદેશમાંથી પૂર્વોક્ત વીર્યવ્યાપાર રેકે છે. આ પ્રમાણે બાહર કાગનો વેધ કરતા પહેલા સમયે કિયા થાય છે. કર્મપ્રકૃતિ પ્રાભૂતમાં કહ્યું છે કે પહેલે સમયે અપૂર્વ સ્પર્ધકે કરે છે. પૂર્વપદ્ધકમાંની નીચેની પહેલી આદિ વગણાઓમાં જે વીશુ હોય છે, તેના અસંખ્યાતા ભાગને ખેંચે છે, એટલે કે અસંખ્યાતા ભાગોમાં રહેલ વિર્યાણ પ્રમાણ વીર્યવ્યાપાર રેકે છે, અને જીવપ્રદેશને અસંખ્યાતમો ભાગ ખેંચે છે, એટલે કે પહેલા સમયે એટલા પ્રદેશમાંથી વીર્યવ્યાપર એ છે કરે છે. ત્યારપછી બીજા સમયે પહેલે સમયે ખેંચેલા અસંખ્યાતમા ભાગ પ્રમાણ છવદેશથી અસંખ્યાત ગુણ જીવપ્રદેશ ખેચે છે. એટલે કે પહેલે સમયે એક ભાગ ખેંચે હવે બીજા સમયે અસંખ્યાતા ભાગો ખેંચે છે. એટલા બધા પ્રદેશમાંથી વીર્યવ્યાપાર રેકે છે. તથા પહેલા સમયે જે વિર્યાણુઓ ખેંચ્યા હતા તેનાથી અસં યગુણહીન એટલે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીણુઓને ખેંચે છે. તાત્પર્ય એ કે પહેલા સમયની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીય વ્યાપાર રેકે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તર સમયે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ આત્મપ્રદેશમાંથી પહેલા સમયે જે વયથપાર રોકાય છે, તેનાથી પછી પછીના સમયે અસંખ્યાતગુણહીન અસંખ્યાતગુણહીન વીર્યવ્યાપાર રાકતે, ત્યાં સુધી જાય કે અપૂર્વસ્પર્વક કરવાના અંતિમુહૂર્તને ચરમ સમય આવે, આ અંતમુહૂતકાળમાં અત્યન્ત અલ્પ વીર્ય વ્યાપારવાળા સૂચિશ્રેણિના વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અપૂર્વ સ્પર્ધકે થાય છે. અને તે અપૂર્વ સ્પદ્ધ કે પૂર્વપદ્ધકે તે અસંખ્યાતમે ભાગમાત્ર છે બાકીનાં પૂર્વ૫દ્ધકરૂપે જ રહે છે. સઘળા પૂર્વપદ્ધ કે અપૂર્વપદ્ધકરૂપે થતાં નથી. અપૂર્વ૫દ્ધક કરવાના અન્તર્મુહૂર્તના પછીના સમયે કિટ્ટિ કરવાની શરૂઆત કરે છે, અને તે અંતમુહૂર્ત પત કરે છે. કહ્યું છે કે–તે કેવળી ભગવાન અપૂર્વ સ્પર્ધક કરીને સ્થલ કાયવેગને નાશ કરે છે, અને શેષ કાયાગની કિષ્ટિ કરે છે” હવે કિટિ એટલે શું ? તે કહે છે—એક એક વીશુની વૃદ્ધિને નાશ કરીને એટલે કે એક એક ચડતા ચડતા વીણવાળી વગણના કમનો નાશ કરીને અનંતગુણહીન વીર્યાણુવાળી એક એક વર્ગણાને રાખવાવડે યોગને અ૫ કરે. તે કિદિ ૧ એગસ્થાનમાં અનંતભાગહીન કે અનંતગુણહીન કે એ બે હન. અથવા અનતભાગ અધિક કે અનંતગુણઅધિક એ બે વૃદ્ધિ કહી નથી. પરંતુ વચલી ચાર હાનિ કે વૃદ્ધિ થાય છે એમ કહ્યું છે. આત્માનું વીર્ય અનત છે, પરંતુ ગર્વીય વ્યાપાર અનત નથી, અસંખ્યાત પ્રમાણુજ છે કેમકે ઉત્કૃષ્ટ એટલે વીર્વવ્યાપાર છે, તેના સૂક્ષ્મ અશે કરવામાં આવે તો પણ અસંખ્ય લોકાકાશ પ્રા પ્રમાણ જ થાય છે, અને તે પ્રમાણ થતા નથી. અહિં વેગને રોધ કરતા કિદિ કરવાના અવસરે જે અનાળિયાન યોજા ” “અનંતગુણહીન એક એક વર્ગણાને રાખવાવડ રોગને અદા કરે તે કિદિ કહેવાય છે? એમ જે લખે છે તેમાં અનતગુણહીન કરવાનું જે કહે છે તે સમજાતું નથી. અસંખ્ય ગુણહીન જોઇએ એમ લાગે છે. તત્વ કેવળી મહારાજ જાણે. •
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy