SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર ચરિત્ર ૧૪૯ - રૂ નામ - - શ્રી મહાવીર ચરિત્ર. (૧) પૂર્વભવ વર્ણન, પ્રથમ દ્વિતીય ભવ-ગ્રામચિંતક નયસાર અને ધર્મ દેવલોકમાં દેવ. આ જ બુદ્દીપના પશ્ચિમ મહાવિદડમા મહાવમા વિજયમાં લંકા નગરીને જીતે તેવી જયંતી નામની નગરી હતી તે નગરીમાં શત્રુમર્દન નામે રાજા રાજય કરતો હતે. આ રાજાને પિતાના તાબાના પૃથ્વી પ્રતિષ્ઠ ગામને ઉપરી નયસાર નામે સેવક હો તે રાજાને માટે કચ્છ લાવવા એક વખત સાથીદારે સહિત જંગલમાં ગયે. મધ્યાહ્ન સમયે તે સાઈથી જુદા પડેલા અને જગલમાં ભૂલા પડેલા મુનિઓને જોયા. તેણે તેમને પ્રતિલાવ્યા અને નગના માર્ગ સુધી મુકી આગે. મુનિએ તેને ધર્મોપદેશ આપે. સરળ નયસારને તે ધર્મોપદેશ પરિણમ્યો અને તે વખતે જ તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું સાધુઓ નગર તફ઼ ચાલ્યા નયસાર મુનિઓ દેખાય ત્યા સુધી ત્યાં છે અને પિતાને મુનિના સમાગમથી ધન્ય માનતો કામે વળગે તેણે મુનિને ધર્મોપદેશ દઢ કર્યો, અને છેવટે સમ્યક્ત્વનું પાલન કરી નયસાર મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં બે પાપમના આયુષ્યવાળો દેવ ધ. ત્રી-ચે ભવ–મરીચિ અને બ્રહ્મદેવલોકમાં દેવ દેવલોકમાથી એવી નયસાર જીવ ભરત મહારાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે જન્મતાં તેનામાં કિગણોને આવિર્ભાવ હોવાથી તેનું નામ મરીચિ પાડયું ઋષભદેવ ભગવાન પાસે તેણે ચારિત્ર અગીકાર કર્યું. અને અગીયાર અંગ ભ. એક વખત ગ્રીષ્માતમાં તાપ અને તૃષાથી પીડાએલ મરીચિને ચારિત્રઆવરણ કર્મનો ઉદય થયે તેના ચારિત્ર પરિણામ ઢીલા પડ્યા તેને ચારિત્રભાર મેરૂપર્વતના જેવો કઠીન લાગે સાથે સાથે વ્રત છોડી ઘેર જવામાં પણ તેને શરમ લાગી, તેથી વિચાર્યું કે “આ સુનિઓ મનદંડ, વચનદડ અને કાયદડથી વિરત છે. હું તો તેમ કરી શકું તેમ નથી. માટે ત્રણદડ બતાવવા માટે ત્રિદંડનું લાછન ભલે રહ્યું સાધુઓ લેચ કરાવે છે. પણ હું તો જટા રાખીશ અગર શસ્ત્રથી મુંડન કરાવીશ. મુનિઓ ખુલે પગે વિહાર કરે છે તે હું ચાખડી કે જેડા રાખી ફરીશ. મુનિઓ કષાય ગહિત હોવાથી શ્વેતવસ્ત્રો પહેરે છે હું કષાયી લેવાથી કષાયિક વસ્ત્રો પહેરીશ મુનિ મહાવ્રત ધારે છે હું અણુવ્રત ધારીશ મુનિએ પ્રાસુક અન્નપાન ગ્રહણ કરે છે, હું અપ્રાસુક અન્નપાન ગ્રહણ કરીશ” એમ વિચારી ચારિત્રભન મરીચિએ ત્રિદંડી વેષ ગ્રહણ કર્યો આમ છતા ભગવાનની સાથે વિહાર કરે છે અને લેકે તેને નવાવેષ સંબંધી પૂછે છે ત્યારે મરીચિ કહે છે કે “મારાથી -ચાસ્ત્રિભાર સહન ન કરી શકાયે માટે હું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy