SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મત્ત અતિ ચરિત્ર 1 ૧૨૭ - - - - - - - — - - - - - - - - - - - - - ૧ - - ૧ રાખી વંશાવમાં વિદ્યા સાથે છે. બ્રહ્મદત હસીને કહ્યું તે વિદ્યાધર તે મારે હાથે મૃત્યુ પામ્યા છે અને હું બ્રહ્મહત્ત છું. અને પરસ્પર ઇચ્છિત પામી ગાંધર્વ લગ્ન કરી સુખમગ્ન બન્યાં. બ્રહ્મદત્ત અને પુષ્પવતી પિતાનો સમય પસાર કરે છે તેવામાં કઈક સ્ત્રીઓનો અવાજ સંભળા. બ્રહ્મદત્ત બેઠો છે. તેણે પુષ્પવતીને પૂછ્યું કે આ કેનો અવાજ છે? પુષ્પવતીએ કહ્યું હે નાથ! નાન્મત્તની ખંડો અને વિશિખા નામની બે બહેનોનો અવાજ છે. તે બહેનો આજે તેમના ભાઈનાં લગ્ન કરવા માટે લગ્ન સામગ્રી લઈને આવી છે. પણ તેમને ખબર કયાં છે કે લગ્ન કરનાર ભાઈ તે પરલોક સિધા છે. હું તેમની આગળ આપના ગુણ વર્ણવી તેમનો ભાવ જાણી લઉં કે તેમને તમારા ઉપર રાગ છે કે હડાહડ ષ. રાગ હશે તે હું તમને લાલ ધજા કરીશ અને દ્વેષ હશે તે સફેદ ધજા કરીશ” ઘડીવારે સફેદ ધજા ઉંચી થઈ બહાદત્ત સમયે કે “નિનેહ સાથે સ્નેહ બાધીને શું લાભ?. બ્રહ્મદત્ત ત્યાથી ચાલતો થયો. અને માનસ સરેવરના કાંઠે આવ્યું. સરોવરમાં હાઈ કુમાર આગળ વધે તેટલામાં તેણે એક સુંદરીને દેખી. બન્નેની કીકીઓ પરસ્પર મળી. અને તેમાંથી પરસ્પર અનુરાગ બંધાયો. કુમાર દેવરૂપ કન્યાને વિચાર કરે છે તેટલામાં તે એક દાસી આવી અને કહેવા લાગી કે “હે કુમાર! તમે મારી સાથે ચાલે.” કુમાર તેની પાછળ ચાલ્યો. દાસી કુમારને પલ્લી પતિરાજના નાગદત્ત મંત્રી પાસે લઈ ગઈ. અને કહ્યું કે “શ્રીકાંતા રાજકુમારીએ આ મહાભાગને પિતાના પતિ તરીકે પસંદ કર્યા છે. મંત્રી બ્રહ્મદત્તને રાજા પાસે લઈ ગયે. રાજાએ કાંઈ પૂછપરછ કર્યા વિના શ્રીકાંતા સાથે બ્રહ્મદત્તનાં લગ્ન કરાવ્યાં અને તેને જુદે આવાસ આપી પ્રાણુથી અધિક ગણી ત્યાં રાખ્યાં. કુમારે પત્નીને પલીપતિ સંબંધી વૃત્તાંત પૂછયે. ત્યારે શ્રીકાતાએ કહ્યું કે મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે. પણ જ્યારે તે ગાદી ઉપર આવ્યા ત્યારે તેમનાં ગોત્રીઓ તેમને હેરાન કરવા માંડયા, આથી કંટાળી તે આ પ્રદેશને સ્વાધિન કરી પિતાને નિર્વાહ કરે છે. હું યૌવનવયને પામી ત્યારે મને કહ્યું કે “તું કેઈ પણ યોગ્ય વરને શોધી કાઢીશ તે હું તને તેમાં અનુમતી આપીશ. આથી મેં તમને આજે શોધી કાઢયા છે. સમય જતાં પહેલી પતિ સાથે બ્રહ્યદત્ત પણું એક ગામ લૂંટવા ગયે. ત્યાં અચાનક વરધનુનો ભેટે થયે તે પ્રથમ તે બ્રહાદત્તને પગે વળગી ડુસકે ડુસકે રેવા માંડે. ત્યારબાદ વરધનું કહેવા લાગ્યો કે “હે પ્રાણપ્રિય મિત્ર! હું તમારે માટે પાણી લઈ આવતું હતું. તેવામાં દીર્થના સૈનિકે એ મને પકડયે. અને કહ્યું કે “તું બ્રહ્મદત્તને બતાવ.” મેં કહ્યું કે “બ્રહ્મદત્તને વાઘ ખાઈ ગયો છે. તેઓએ મને તે સ્થાન બતાવવા કહ્યું. હું તેમને લઈ તમે જે સ્થળે હતા તે સ્થળે આવે અને તમને સંજ્ઞા કરી ભગાવ્યા આ પછી સુખમાં ગુપ્ત રીતે ગુટિકા નાખી હું નિષ્ટ થઈ ભૂમિ ઉપર પડયો. ઘેડો વખત તેમણે મને ઢળ્યો . પણ પછી તેમને લાગ્યું કે આ મરી ગયા છે. તેથી મને સુકી ચાલતા થયા. તેમના ગયા બાદ મેં મેંમાંથી ગુટિકા કાકી. અને તમને શોધવા જ્યાં ત્યાં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy