SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ રામ નિજાન ! માને કરી પ્રેમ દક્ષ લીધી?” આજ વખતે ઈન્વે સભામાં કહ્યું “રામચંદ્રને લક્ષમણ કિપર ગાદ અનેક છે તેથી તાવ મોક્ષગામી હોવા છતાં તે દીક્ષા લઈ શકતા નથી. અને સારમાં રહી વિષયસુખની પ્રશંસા કરે છે' આ વાત બે દેના ગળે ન ઉતરી. તેમણે ૧૦ની ૩ળ રામની પાછળ આઠંદ કરતી અંતઃપુરની સ્ત્રીઓ બતાવી. આ જોતાં જ તેમ જાત સાથે બોલી ઉઠયા “મારા વડિલ બધુ રામ મને મુકી મૃત્યુ પામ્યા, અરે! આ છે કાર ?' ના લગનની પૂર્ણાહુતિ સાથે જીવનના અંત ઘ. અને આઘાતથી હમજ અન્ય પાપા, વમને મારવામાં સો વર્ષ, માંડલિકપણામાં ત્રણ વર્ષ, વાલીશ િિવજયમાં, અગ્યાર હજાર પાંચશે સાઠ વર્ષ વાસુદેવપણુમાં એમ કુલ બાર જાર વર્ષનું સંપ આયુષ્ય જોગવ્યું. રામની દીક્ષા હમના મૃત્યુ સમાચાર મળતા રામ તુર્તજ તેની પાસે ગયા. તેને ઢઢો અને કહેવા લાગ્યા કે “ બાંધવ! તું કેમ રસાયા છે. હું આટલું આટલું બોલાવું છું છતાં તું કેમ કોઈ પણ જવાબ આપને નથી?” મત્રીઓએ રામને કહ્યુ “લામણું મૃત્યુ પામ્યા છે અને હવે આપ તેના શબને અગ્નિસંસ્કાર કર' રામને ઘણાએ સમજાવ્યું પણ કોઈની વાત ગળે ન ઉતરી અને શબને છ છ મહિના સુધી રાખી ઉન્મત્તની પેઠે રામે ફર્યા કર્યું. વિકણના મૃત્યુથી લવણ અંકુશ પણ વૈરાગ્ય પામ્યા અને અમૃતઘેષ મુનિ પાસે દીક્ષા લ મે ગયા. અરસામાં ઈન્દ્રજિતના પુત્રએ અયોધ્યા ઉપર ચડાઈ કરી પણ દેવની મદદથી તે પરાભવ પામ્યા અને છેવટે દીક્ષા લઇ તેમણે કલ્યાણ સાધ્યું. આ પછી રામને કૃતાંતદેવે અને જટાયુદેવે પણ સમજાવ્યા છતાં રામને લક્ષમણના મૃત્યુની વાતમાં શ્રદ્ધા ન બેઠી એક વખત દેવે એક સ્ત્રીનું શબ લઈ ઘુમવા માંડયું. તે જોઈ રામે મશ્કરી કરી દેવે જવાબમાં કહ્યું “જેવું હું મડદુ લઈ ભણું છું તેવું તમે લઈ ઘુમે છે આથી રામનું ભાન ઠેકાણે આવ્યું અને તેમણે શબને છેડી દીધું અને અગ્નિ સંસ્કાર કરી લવણના પુત્ર અનંગદેવને રાજ્ય સેંપી સુવ્રત નામના મુનિ પાસે શત્રુત, સુગ્રીવ, વિભીષણ, વિરાધ વિગેરે અનેક રાજઓ સાથે રામે દીક્ષા લીધી રાજર્ષિ રામે દીક્ષા બાદ તપ, ધ્યાન અને શુતમાં આગળ વધી અવધિજ્ઞાન ઉપાન કર્યું. અને લક્ષ્મણને નરકમાં પડેલા દેખી વધુ ધ્યાનમાં લીન બન્યા. એક વખત તેમણે સ્પન્દન સ્થળ નામના નગરમાં પારણું કરવા માટે પ્રવેશ કર્યો કે તેમને જોઈ હર્ષની કીકીયારીઓ કરી. આથી નગરના હાથી અને ઘોડા ભડકયા. રામ ત્યાંથી પાછા ફર્યા. અને રાજગૃહમાં જઈ શક આહાર લીધે અને તે જ વખતે અભિગ્રહ કર્યો કે “અરણ્યમાં જે ભિક્ષા મળે તેથી પારણું કરવું.” એક વખતે જંગલમાં પ્રતિ દી રાજા ભૂલે પડી રામ બલભદ્ર હતા ત્યાં આવ્યું. તેણે તેમને પ્રતિલાલ્યા. રામરાજર્ષિએ દેશના આપી અને પ્રતિનંદીએ બારવ્રત ગ્રહણ કર્યા.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy