SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ * [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, કેટલોક વખત યુદ્ધની રમઝટ જામ્યા બાદ તે યુદ્ધમાં પર્વત રાજા પરાભવ પામી નારા છૂટયો અને તેણે સંભવસરિની પાસે દીક્ષા લીધી. વિંધ્યશકિતએ પર્વત રાજાના નાસી ગયા પછી પર્વતના નગરમાં પ્રવેશ કર્યો. અને હસ્તિ, અશ્વ, રન અને ગુણમા " વેશ્યા વિગેરે પિતાને સ્વાધિન કરી, પિતાના નગરમાં આવ્યું. પર્વત રાજર્ષિ દીક્ષાને સારી રીતે પાળે છે પણ હજી સંસાર વાસનાથી પૂર્ણ અs નહિ થએલ હોવાથી અને વિંધ્યશકિતને પરાભવ સાલતો હોવાથી ઉગ્ર તપ કરતાં કરતા પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં વિધ્યશકિતનો નાશ કરવાની શકિત મને પ્રાપ્ત થાઓ એવુ નિયાણુ કરી અણસણુપૂર્વક મૃત્યુ પામી પ્રાણુત દેવલોકમાં દેવ થયા. બીજા પ્રતિવાસુદેવ, બળદેવ અને વાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ, અને દ્વિપૃષ્ઠના વાસુદેવપણને અભિષેક રાજા વિધ્યશકિત પણ કેટલોક વખત સંસારમાં ભમી એક ભવમાં દીક્ષા ગ્રહણ કરી દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચવી વિધ્યશકિતને જીવ વિજયપુર નગરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરને વિષે પુત્ર રૂપે ઉત્પન્ન થયે. તેનું નામ માત પિતાએ તારક પાડયુ. તેની કાયા સીતેર ધનુષની અને તેને વર્ણ શ્યામ હતા. તે ઘણી પરાક્રમી અને તેજસ્વી હોવાથી ચક્રરત્નને મેળવી અર્ધભરતને સ્વામિ થી. ( અર્થાત્ પ્રતિવાસુદેવ થા.) આ અરસામાં સૌરાષ્ટ્ર દેશમાં દ્વારકા નામે નગરી હતી. ત્યાં બ્રહ્મ નામને રાજી રાજ્ય કરતો હતો. તેને સુભદ્રા અને ઉમા નામે બે રાણીઓ હતી. પવનવેગને જી અનુત્તર વિમાનથી રવી સુભદ્રાની કુક્ષિમાં અવતર્યો. તે રાત્રે સુભદ્રાદેવીએ ચાર માટી સ્વમ દેખ્યાં. અને સમય પૂર્ણ થતાં સુભદ્રાએ શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. જેનું નામ બ્રહ્મ રાજાએ વિજય એવું પાડયું. કેટલાક વખત બાદ ઉમાદેવીની કુક્ષિને વિષ પર રાજાને જીવ પ્રાકૃત દેવલોકથી એવી અવતર્યો. ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહાસ્વમ દેખ્યાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં શયામ વર્ણવાળા પુત્રને જન્મ આપે. બ્રહ્મ રાજાએ પુત્ર જન્મને મોટા ઉત્સવ કર્યો અને સારા મુહૂતે તેનું દ્ધિપૃષ્ઠ એવું નામ રાખ્યું. દિવસે દિવસે કમાણ વધવા લાગ્યો. અને વિજય કુમાર સાથે તેને ગાઢ સ્નેહ બંધાયો. આ બંને બધાએ જોતજોતામાં સર્વ કલામ શીખી લીધી અને ખુબજ પરાક્રમી થયા. * તારક રાજાને બાતમીદારે સમાચાર આપ્યા કે “ બ્રહ્મરાજાના વિજચ અને છેક એ બે પુત્રો મહા પરાક્રમી છે અને તે તમારી આજ્ઞા માનતા નથી. તમારે તેના નિર્ણ કરે જઈએ.' તારકે તુર્તજ તેના વધ માટે આજ્ઞા કરી પણ મંત્રીના વચનથી તે અતિ પાછી ખેંચી બ્રહ્મ રાજાને ત મારફત કહેવરાવ્યું કે “ તમારી પાસે રહેલા હાથી, ઘોડા ૨ વિગેરે જે કાંઈ સારી વસ્તુ હોય તે ભરતાપતિ તારકને સ્વાધિન કરે. કારણુંક ત્રણ ખંડને અને તમારે તે સ્વામિ છે:” આ વચન સાંભળતાંજ દ્વિપૃષ્ઠ ક્રોધથી ધમધમી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy