SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧ - - શ્રી સુમતિના ચરિ] કરો તે સારો ઇન્સાફ મળશે. સાવકી માતા બેલી ભલે એમ રહે. પણ સાચી માતા બોલી કે હું પુત્ર વગર ક્ષણ પણ કેમ રહી શકું? આપ સર્વજ્ઞની માતા છે તે આપજ તેને નિર્ણય કરશે. ગુમંગલા રાણીએ વિચાર્યું કે સાચી માતા હોય તે પુત્ર રહિત ન જ રહી શકે. તેને તે પત્ર તેને આપે. અને બને સ્ત્રીઓને વિદાય કરી, સભા આશ્ચર્ય પામી, અને એં કે રાની આ બુદ્ધિ ગર્ભના પ્રભાવને લઈને છે. એમ જણાવવા લાગ્યા. નવમાર અને સાડા સાત દિવસ વ્યતીત થયે વૈશાખ શુદિ આઠમના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતું ત્યારે મંગલા દેવીએ કેચ પક્ષીના લંછનવાળા અને સુવર્ણ સરખા વર્ણવાલા પુત્રને જન્મ આપ્યો પિતાએ અને દેવેએ મહત્સવ કર્યો. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને સારી મતિ ઉત્પન્ન થએલી હોવાથી પ્રભુનું સુમતિનાથ નામ પાડયું. ઉંમર લાયક થતાં રાજાએ તેમને રાજકન્યાઓ પરણાવી. અને ભગવાન ત્યારે દશ લાખ પૂર્વના આયુષ્યવાળા થયા ત્યારે પિતાએ તેમને રાજકારભાર સોંપી દીક્ષા લીધી. આ પછી પ્રભુએ એગણત્રીશ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. ભગવાનને દીક્ષા અવસર જાણી નવલે કાન્તિક દેવોએ “નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને વાર્ષિક દાન આપ્યું. ત્યારબાદ મહત્સવ પૂર્વક અભયંકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ વૈશાખ શુદ લ્લા દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતું ત્યારે હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. અને તે જ વખતે ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. - ભગવાને બીજે દિવસે પ રાજાને ત્યાં ખીરથી હસ્તપાત્રમાં પારણું કર્યું. દેવોએ પચ દિવ્ય પ્રગટ કર્યો. અને ભગવંત ત્યાંથી વિહાર કરી અપ્રતિબદ્ધપણે પૃથ્વીમાં વિહરવા લાગ્યા. અભિગ્રહ અને પરિસાને ધારણ કરતા ભગવાને વશ વર્ષ સુધી વિહાર કર્યો. ફરતા ફરતા એક વખત દીક્ષા ગ્રહણુવાળા સહસાવનમાં આવ્યા. અને પ્રિયંગુ વૃક્ષ નીચે ધ્યાનારૂઢ થયા. ચારઘાતિ કર્મોને ક્ષય કરી શુકલ ધ્યાનમાં આગળ વધી ચતર સુદ અગિયારસના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાનને આ દિવસે છડ હતે. દેએ સમવરણ રચ્યું. ભગવાને તેમાં પ્રવેશી “મા તથા ” કહી દેશના આરંભી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સુમતિનાથ ભગવાનને ચમર વિગેરે સે ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને ભગવાને તેની અનુજ્ઞા આપી. સુમતિનાથ ભગવાનના શાસનમાં તુંબરૂ નામે શાસન દેવતા થયે. અને મહાકાલી નામે શાસન દેવી થઈ. તુંબરૂ જમણી બે ભુજાઓમાં વરદ અને શકિત ધારણ કરનાર હતું અને ડાબી બે ભુજાઓમાં ગદા અને પાસને ધારણ કરનારે હતો. તેને વર્ણ શ્વેત અને વાહન ગરૂડનું હતું. મહાકાલી બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધારણ કરનારી હતી. અને ડાબી ભુજામાં બીરું અને અંકુશને ધારણ કરનારી હતી. તેનો વર્ણ સુવર્ણ જેવું અને વાહન પાનું હતું, સુમતિનાથ પ્રભુને ત્રણુલાખને વીશ હજાર સાધુ, પાંચ લાખને ત્રીશ હજાર સાવી, બે હજાર ને ચાર ચૌદપૂર્વ, અગ્યાર હજાર અવધિજ્ઞાની, દશ હજારને સાડી ચાર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy