SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ , લેખ સંગ્રહ : ૪ : [ ૨૮૫ ] ૪. મન, વચન ને કાયાની પવિત્રતા કહે કે વિચાર, વાણું ને આચારની શુદ્ધિ કહો જે ભવ્યજને સાવધાનપણે તેને સાચવી રાખે છે તેઓ અખંડ સુખ–શાંતિને સહેજે અનુભવ કરી શકે છે. પ. જે સંત-સાધુજને સહુને સ્વકુટુંબ તુલ્ય ગણીને કોઈને કયારે પણ પ્રતિકૂળતા–દુઃખ-પરિતાપ ઉપજાવતા જ નથી તેમને પછી દુઃખ-પરિતાપ આવે જ ક્યાંથી ? જેવું આપવું તેવું જ મેળવવું એવી નીતિ છે. ૬. અનેક મુગ્ધ જને કળી વૃત્તિથી પ્રસાદ યા સ્વછંદતા ' વશ (વિષય-કષાય-નિદા–વિથાદિકને આચરી) અનેક જીવને દુઃખ, ત્રાસ આપી એવાં આકરાં પાપકર્મ બાંધે છે કે પછી તેનું ફળ ભગવતી વખતે તેને ભારે વિષમ લાગે છે. ૭. તેથી જ સુખના અથી દરેક સુજ્ઞ જનોએ મન, ઇદ્રિને લગામમાં રાખવાં, રાગ-દ્વેષાદિક ભાવથી સાવધાનપણે દૂર રહેવા વિચાર, વાણું ને આચારમાં પવિત્રતા સાચવી રાખવા, અને પાપવૃત્તિથી પાછા ફરી, સંયમવૃત્તિ જાગૃત કરવા જરૂર તત્પર થવું એ જ સર્વ ઉપદેશ સાર છે. ૮. તદ્દન નિરંકુશ વૃત્તિ રાખવારૂપ અસંયમથી આ લેકમાં તેમ જ પરલોકમાં જીવને ભારે વિપત્તિ વેઠવી પડે છે. તેમાંથી સ્વાધીનપણે આત્મનિગ્રહરૂપ સંયમ સેવનારા બચી શકે છે. ૯. સંપૂર્ણ સંયમગના બળથી, સકળ દુઃખમુક્તિ થઈ અક્ષય-મોક્ષસુખ મેળવી શકાય છે. [ આ પ્ર. પુ. ૨૦. પુ. ૨૫૮.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy