SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૩ : ૩૯ કરે છે? બુદ્ધિ તે છે તમારી પાસે, પરંતુ નિર્મળ બુદ્ધિ નથી. મલિન અને અશુદ્ધ બુદ્ધિ પાપના કે ધર્મના ફળને વિચાર કરી શકતી નથી. આવી બુદ્ધિ તે સતત સુખ અને દુખના દ્વોમાં જ ગુંચવાયેલી રહી છે. બુદ્ધિને ચકાસી જુવ, મલિન છે કે નિર્મળ જેની બુદ્ધિ નિર્મળ છે, વિશુદ્ધ છે, તે તે ફળને જરૂર વિચાર કરશે. આ લેક અને પરલેકમાં શું થશે, તેને તે જરૂર કયાસ કાઢશે. ફળ અલ્પકાલીન છે કે દીર્ઘ કાલન, તેનું પણ તે ગણિત માંડશે. અને જે કામ, જે પ્રવૃત્તિ કરવાથી વર્તમાન જીવનમાં ભલે સારું ફળ મળતું હોય પરંતુ પરલેકમાં તેનું ફળ ખરાબ મળતું હોય તે તેવું કામ કે તેવી પ્રવૃત્તિ નિર્મળ બુદ્ધિવાળા માણસ નહિ કરે. તે તે એવાં જ કામ પસંદ કરશે કે જેથી ઉભય લેકમાં અર્થાત્ વર્તમાન જીવનમાં અને પરલોકમાં પણ સારું ફળ મળે. આ ભવ અને પરભવમાં પણ સુખ મળે, સારું પરિણામ મળે. ઉત્તમ ફળ પ્રાપ્ત થાય તેવાં જ તે કામ કરશે. તે સમજી ગયા ને? હવે તમે તમારી બુદ્ધિને ચકાસી જુવે, તે મલિન છે કે નિર્મળ અશુદ્ધ છે કે વિશુદ્ધ? ધર્મનું ફળ બતાવવામાં આવી રહ્યું છે. ધર્મનું ફળ-ઈલૌકિક અને પરલૌકિક ફળ–ને ફળ સારા છે. ઇહલૌકિક ફળમાં ધનપ્રાપ્તિ અને ભોગસુખોની પ્રાપ્તિ તથા પારલૌકિક ફળમાં સ્વર્ગ પ્રાપ્તિ અને મોક્ષની ઉપલબ્ધિ! લાલચ અને ભય નહિ, પણ નરી વાસ્તવિકતા પ્રશ્ન : માણસને ધાર્મિક બનાવવાની ભાવનાથી જ શું સ્વર્ગ અને નરકની કલ્પના નથી કરવામાં આવી? ધાર્મિક બનાવવાની ભાવના સારી છે પરંતુ તે માટે સ્વર્ગની લાલચ અને નરકનો ભય બતાવ તે કયાં સુધી ઉચિત ગણાય ? જવાબ : તમે તમારા સંતાનને હેકટર, વકીલ કે એજીનીયર બનાવવા માગે છે. સંતાન ભણવા નથી માંગતું. કેલેજમાં
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy