SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ વેચન ર મધ્યસ્થ બને. માધ્યસ્થ્ય ભાવના-ઉપેક્ષા ભાષના માણુસને મધ્યસ્થ બનાવે છે. તટસ્થ બનાવે છે. આ ભાવના એવા જીવા માટે જીતાવી છે કે જે અવિનીત છે, ઉદ્ધત છે, મનસ્ત્રી છે. પેાતાને પનારું' એવા સાથે પડયું છે કે જેમનાં અનુચિત અને અહિતકારી વ્યવહારથી આપણુ મન ઉદ્વિગ્ન બને છે. હૈયાને તેથી સતાપ થાય છે. આ ઉપેક્ષા ભાવનાથી, તેના પુનઃ પુન અભ્યાસ અને અનુભષથી મૌજાનાં નિમિત્તે થયેલાં ઉદ્વેગ, બેચેની, અશાતિ, સત્તાપ વગેરે દૂર થાય છે. · : Tse તમે 'ગૃહસ્થ છે, ઘ૨ના-કુટુંબનાં બધા જ સભ્ય તમારે આદર-બહુમાન—વિનય કરે એવું ભાગ્યે જ કયાંક જેવા મળે. તમે વડીલ છે, ઘરમાં માટા છે. તમારું' કોઈ અપમાન કરે છે, અવિનય કરે છે, તમારી સાથે ઉદ્ધૃત વ્યવહાર કરે છે તે તમે આ માધ્યસ્થ્યઉપેક્ષા ભાવનાને આધાર છે. તેનાથી તમે અશાતિથી ઉગરી જશે. રાષ અને સતાપથી બચી જશે જે પ્રમાણે તમારા માટે-ગૃહસ્થ માટે આ ભાવના ખૂબ ઉપકારી છે તેમ અમાશ લેક માટે-સાધુએ માટે પશુ આ ભાવના ખૂબ જ જરૂરી છે. અમે લેકે સાધુ છીએ છતાંય આ ભાવના ન ભાવીએ તે અમે પણ આંતરિક શાંતિના અનુભવ ન કરી શકીએ. પ્રતિદિન પ્રતિપળ આ ભાવનાઓની આપશુને અત્યંત અને અનિવા` જરૂર છે. આપણે ભલે વિદ્વાન હાઈએ, સાધુ-મહાત્મા પણ ભલે હેઈએ, પરંતુ આ ભાવનાએ વિના શાતિ દુર્લભ અને અશકય જ છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી પેતાના ‘ શાન્ત સુધારસ ' ગ્રન્થમાં જણાવે છે : > '' સ્ક્રુતિ ચૈતસિ ભાવનયા વિના ન, વિષામપિ શાન્તસુધારસ : 97 વિદ્વત્તા એક વાત છે અને ભાવના બીજી વાત છે. ભાવનાશૂન્ય વિદ્વત્તા આંતર-આનંદ, આંતર-પ્રસન્નતા પ્રદાન નથી કરી શકતી. વિદ્વત્તાના સબંધ મુખ્યત્વે મગજ સાથે છે, ભાવનાના સંબંધ નિતાંત હૃદય સાથે છે, સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આપણુ' હૃદય મૈત્રી, કરુણા,
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy