SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩. માડી મીઠી લાગે છે મુનિવરની દેશન નહિ, પણ તે દોષ દૂર કરવાની પ્રેરણા આપી છે. ગુર્જરેશ્વર કુમારપાળે અનેક સત્કાર્યાં કર્યાં હતાં, પરંતુ હજારે સાધર્મિક ભાઈએ પ્રત્યે તેનુ જોઇએ તેવુ ધ્યાન ગયુ' ન હતું, ગુરૂદૈવ શ્રી હેમચંદ્રસૂરિજીએ ખૂબજ સુંદર રીતે રાજા કુમારપાળનુ એ તરફ ધ્યાન ખેચ્યું હતું. સવારે કુમારપાળ વંદન કરવા યા. ગુરૂદેવના શરીર પર ફાટેલી અને જાડી ચાદર જોઇ, વંદન કરીને વિનયથી ગુરૂદેવને પૂછ્યું : ગુરૂદેવ ! પાટણમાં શ્રાવકા શુ એટલા બધાં દુ:ખી છે કે આપને ફાટેલી અને જાી ચાદર એઢવી પડે છે ?” ગુરૂદેવે કહ્યું : ‘કુમારપાળ ! તારા સાધમિકા પાસે જેવુ' આપવા જેવુ' હાય તેવુ' તેઓ આપે છે. તે” કદી તારા સામિકાના સુખ– દુઃખને જાણવાના પ્રયત્ન કર્યો છે ખરો?” ખસ ! આટલી ટકાર સાંભળતાં જ કુમારપાળને પેાતાની ગભીર ભૂલ સમજાઈ ગઈ. એ દિવસથી તેમણે સાધમિકાનાં દુ:ખે। દૂર કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા. દર વર્ષે આ માટે કરાડ રૂપિય તેમણે ખર્ચ્યા. ભૂલ-દોષ બતાવનાર ગુરૂદેવના ઉપકાર માન્ય અને ગુરૂ દોષ નહિ મતાવે તે બીજુ કાણુ ખતાવશે? ગુરૂને તમારા આત્માની ચિંતા છે માટે તે તમારા દેશ પણુ બતાવે છે. માધ્યસ્થ્ય ભાવના ન રાગની પ્રબળતા હાય, ન દ્વેષની પ્રબળતા હાય, તેને માધ્યસ્થ્ય કહે છે. રાગ અને દ્વેષની પ્રબળતામા મન અશાંત અને છે. પરંતુ મને અશાંતિમાં મેઢુ અંતર છે. રાગજન્ય અશાંતિના તત્કાલ અનુભવ નથી થતા, દ્વેષજન્ય અશાતિને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રામની પ્રબળતામાં માણસ સુખને અનુભવ કરે છે. રાગના સુખના અનુભવની ભોતર અશાંતિની આગ સળગતી હેાય છે. જે સુખનું પરિણામે-સરવાળે દુઃખ હૈાય તેને સુખ કેમ કહી શકાય ? જે આન ંદનુ અંતિમ ચરણ અશાંતિ હાય, ફ્લેશ અને કંકાસ હાય તેને આનંદ કેમ કહી શકાય ?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy