SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધર્માનુષ્ઠાન, ધર્મ ક્રિયા કરનારનું હદય મૈત્રો વગેરે પવિત્ર ભાવનાઓથી સભર હોવુ જોઈએ. માણસના હૈયે મૈત્રી ન હોય અને * શત્રુતા હોય, પ્રમાદ ન હોય અને ઈર્ષ્યા-દ્વેષ હેય, કરૂણા ન હોય અને ધૃણા–તિરસ્કાર હેય, માધ્યસ્થભાવ ન હોય અને પક્ષપાતહઠાગ્રહ હોય તે, એવા માણસે કરેલું અનુષ્ઠાન “ધર્મ નહિ બની શકે. એ અનુષ્ઠાન “ધર્મ' નહિ કહેવાય પછી ભલે તે અનુષ્ઠાન સર્વજ્ઞકથિત હોય અને વદિત પણ હોય પરંતુ તે અનુષ્ઠાન ધર્મ તે નહિ જ બની શકે. જુઓ તે વિચારે ઢઢોળે તમારા હૃદયને. જુએ ભીતર. જરા ડેકિયું કરે તમારી અંદર, શું પડયું છે તેમાં કેવા કેવા ભાવ છે તમારા હદયમાં? ત્યાં શત્રુતા, ઈર્ષા, વેર-ઝેર, તિરસ્કાર, ધૃણા વગેરે અસંખ્ય દુભવેના ઢગલા પડયા છે ને? ભીતર જેશે તે એ બધું જોવા મળશે. જેશે તે વિચારશે. પણ કેણ જેવાની તકલીફ લે છે? કોણ પિતાની ભીતર ડેકિયું કરે છે? જુઓ તે વિચારો ને? “આ ભવ સારા નથી, તેને દૂર કરું. આ ભાવ સારા છે તેને સાચવી રાખું.” આવું ક્યારેય વિચારે છે ? મકાનમાં જુએ છે કે ખૂણામા કરે પડે છે, જાળા બાઝયાં છે, તે વિચારે છે ને કે એ કચરો દૂર કર જોઈએ. એ જાળા દૂર કરવા જોઈએ? કપડાંને જુઓ છે કે ગંદાં છે, તે વિચારે છે કે “ગંદા કપડાને જોઈ નાંખવા જોઈએ.” માણસ જુએ છે તે વિચારે છે. એ જુએ જ નહિ તે વિચારે કેવી રીતે ? અને દુર્ભાગ્ય એ છે કે માણસ પોતાની ભીતર કરીને તે જ નથી ! બહાર તે તે ખૂબ જ જુએ છે. ઘણું બધુ જુએ છે. ઘરમા, બજારમાં, બગીચામાં, કલબમાં જવાનું કંઈ ઓછું છે?તે સિનેમા જુએ છે, નાટક જુએ છે, બહારનું બધું જુએ છે, તે બહારનું તે વિચારે છે. તમારી ભીતર જુઓ, ખુદ તમારા અંતરમાં જરા આંખ માડે! ત્યાં ઘણું વિરાટ વિશ્વ છે! ભીતરમાં પણ સ્વર્ગ અને નરક છે! હદયશુદ્ધિ જરૂરી છે? ભીતરમાં જવા માટે આંખ બંધ કરવી પડે છે. કાન બંધ કરવા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy