SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૦ - ૧૬ સુધી તમારા જીવનમાં અભય, અદ્વેષ અને અપેદ-આ ત્રણ ગુણે પ્રગટ નહિ થાય અને આ ત્રણે ગુણે વિના તમે સાચી યથાર્થ ધર્મ આરાધના પણ નહિ કરી શકે. તમે તમારા આતરબાહા જીવનને સક્ષમ નજરે જુએ. અનેક પ્રકારના ભયના ભૂત તમને ડરાવતા જણાશે ચેતરફ તમને શ્રેષની જવાળાઓ ભભૂકતી દેખાશે. હૈયે ખેદ અને લાનિની ગંદગી ખદબદતી જણાશે. આથી જ જ્ઞાની પુરુષ કહે છે કે હૈયામાંથી વૈષયિક સુખેની સ્પૃહાને પહેલાં બહાર ઉલેચી નાંખે! પરસ્પૃહા મહાદુખમ્ પરપદાર્થોની સ્પૃહા જ મહા દુખ છે. –આ કથન કેટલું યથાર્થ છે, તેને ગંભીરતાથી તમે વિચાર કરે. ભય, દ્વેષ અને ખેદ દાન દેવાના પ્રસંગે મનમાં શું થાય છે? હૈયે આનંદ છલકાય છે કે આંખમાં ગુસ્સે સળગે છે? દેવું જ પડે તેમ હોય તે કેટલું આપે છે? થોડુંક કે વધારે? મનમાં ઘય છે. વધારે આપી દઈશ તે મારી પાસે શું બચશે? નહિ બચે તે હું શું કરીશ? આ ડર છે હૈયે, આથી વધુ હોવા છતા પણ ટૂકડે ફેકે છે ! દાન દેવાના પ્રસંગે દાતા જે લેનારની ઈચછાનુસાર દાન ન આપે તે લેનારને શું થાય છે? દાતા પર ગુસ્સો ચડે છે ને? પ થાય છે ને? ન હોય તે માટે દાનવીર ! નામ બડા એર કામ છોટા.”આવ જ કંઈ લાગણી થાય છે ને મનમા? માની લે કે તમારી ઈચ્છા મુજબ દાન મળી ગયું, ત્યારે તમારા ઘરના લોકોને ડર લાગે છે ને? ઘરવાળાઓને ખબર પડી જશે કે- હું આટલા બધા રૂપિયા લાવ્યો છું તે નાહક તેઓ મને હેરાન કરશે. આથી તેમને સાચી વાત જ નહિ કહું આ વિચારે શું બતાવે છે? ભય જ ને? એ જ પ્રમાણે તપશ્ચર્યા કરવાનો પ્રસંગ આવે, ત્યારે ઇંચ ઉલલાસ ઉછળે છે કે ખિન્નતા? પપકાર કરવાને અવસર મળે છે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy