SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ કરુણ, સર્વજ્ઞતા અને વીતરાગતા, આ ઉચ્ચતમ ત્રણેય તવે જે આત્મામાં પરિપૂર્ણ વિકસીત થઈ જાય, તે - આત્મા જ ધર્મતનું યથાર્થ પ્રતિપાદન કરી શકે. * બુદ્ધે કહ્યું આત્મા અનિત્ય જ છે ! કપિલે કહ્યું કે આત્મા નિત્ય જ છે ! ભગવાન મહાવીરે કહ્યું આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે ! દ્રવ્યદષ્ટિથી નિત્ય અને પર્યાયદષ્ટિથી અનિત્ય ! શક અમને વેદથી પૈર નથી અને આગમાથી પ્રેમ નથી. અનેકાન્તદષ્ટિથી જ્યાં પ્રતિપાદન હેય ત્યાં અમને પ્રેમ છે, ત્યાં અમને શ્રદ્ધા છે. જ પ્રેમ જડમાં ચેતનનું દર્શન કરાવે છે ! પરમાત્મપ્રેમી પત્થરમાં પરમાત્માનાં દર્શન કરે છે ! -- - -- - પ્રવચન पंचनाद् यद्यनुष्ठानमविद्धाद् यथोदितम् । मैश्यादि भावसंयुक्त तद्धर्म इति कीयते ॥ પરમ કરુણાનિધાન પૂજ્ય આચાર્યદેવ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મનું સ્વરુપ સમજાવી રહ્યા છે. ધર્મનું દ્વિવિધ સ્વરુપ બતાવાયું છે. એક છે ક્રિયાત્મક સવ૫, બીજું છે ભાવાત્મક સ્વરુપ, ક્રિયાત્મક ધર્મ મનના તરંગે પ્રમાણે નથી કરી શકાતે. નામ બરાબર ધમનું, પણ મનફાવતી ક્રિયા કરવી, જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવી. જ્યાં મન થયું ત્યાં કરવી એ ધર્મ નથી ધર્મના કપડાં પહેરી લે તેથી પાપક્રિયા ધર્મક્રિયા નથી બનતી.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy