SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૧૯૩૨ ૩૧૧ મિચોપદેશ, રહસ્યાભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર બીજા અણુવ્રતના છે. સ્તનપ્રયોગ, સ્તન આહુત-આદાન,વિરુદ્ધ રાજ્યને અતિકમ, હીન-અધિક-માનન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ ત્રીજા અણુવ્રતના અતિચાર છે. પરવિવાહરણ, ઇત્વરપરિગ્રહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગકડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ અતિચાર ચેથા અણુવ્રતના છે. ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણને અતિક્રમ, હિરણ્ય અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ, ધન અને ધાન્યના પ્રમાણને અતિક્રમ, દાસી-હાસના પ્રમાણને અતિક્રમ, તેમજ કુષ્યના પ્રમાણને અતિક્રમ એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતના છે. ઊર્થવ્યતિકમ, અધેવ્યતિક્રમ, તિર્થવ્યતિકમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃત્યંતર્ધાન એ પાંચ અતિચાર છઠ્ઠા દિવિરતિવ્રતના છે. આનચનપ્રયાગ, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદુગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિવ્રતના છે. કંદર્પ, કૌટુચ્ચ, મૌખર્ય, અસમસ્યઅધિકરણ, અને ઉપભોગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy