SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૩- સૂત્ર - ૧૪૫ છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઈ મહાતમપ્રભાગત અપ્રતિષ્ઠાનનામક નરકાવાસ સુધીના બધા નરકાવાસ, વજના છરાના જેવાં તળવાળા છે; પણ બધાનાં સંસ્થાન – આકાર એક સરખા નથી. કેટલાક ગોળ, કેટલાક ત્રિકોણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લાં જેવા, કેટલાક લેઢાના ઘડા જેવા, એ રીતે ભિન્નભિન્ન પ્રકારના હોય છે. પ્રસ્તર– પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છે. રત્નપ્રભામાં તેર પ્રસ્તર છે અને શકરપ્રભામાં અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમા એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તામાં નરક છે. મૂપિઓમાં નવાવાસીની રહ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચેથીમા દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯૯૮૫) અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે. પ્ર–પ્રસ્તામાં નરક છે એમ કહેવાનું છે અર્થ? ઉ –એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાનવાળાં નરક છે. પ્ર–નરક અને નારકનો શે સંબંધ? ઉ–નારક એ છવ છે; અને નરક એના સ્થાનનું નામ છે. નરક નામના સ્થાનના સંબધથી જ તેઓ નારક કહેવાય છે. રિ ત ૧૦
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy