SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એક સરખા છે. રત્નપ્રભાને પ્રથમ કાંડ બીજા ઉપર અને બીજો કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ઘનોદધિવલય ઉપર, ઘનેદધિ ધનવાતવલય ઉપર; ઘનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કેાઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ઠિત છે; કેમ કે આકાશનો સ્વભાવ જ એવો છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. બીજી ભૂમિને આધાર એને ઘનોદધિવલય છે તે વલય પિતાની નીચેના ઘનવાતવલય ઉપર આશ્રિત છે; ઘનવાત પોતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાને ભૂમિઓ સુધી દરેક ભૂમિ અને એના ઘને દધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લે. ઉપરઉપરની ભૂમિથી નીચેનીચેની ભૂમિનુ બાહલ્ય ઓછુ હોવા છતાં પણ એને વિધ્વંભ આયામ અધિકઆધક વધતું જ જાય છે. એથી એનું સ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત ઉત્તરોત્તર પૃથું – વિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧] સાતે ભૂમિઓની જેટ જેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હજાર યોજન છેડી દઈ બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે. જેમ કે રત્નપ્રભાની એક લાખ એંશી હજાર યોજનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર જન છેડીને વચલા એક લાખ ચોતેર હજાર જન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લેવો. નરનાં રૌરવ, રૌદ્ર, ઘાન, શેચન આદિ અશુભ નામ છે, જેમને સાંભળતાં જ ભય પેદા થાય
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy