SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જપ-રહસ્ય તાત્પર્ય કે જે ક્રિયાનો આશ્રય લેતાં જન્મ તથા પાપનો નાશ થાય, તેને જપ સમજવે. જો જપનો અવિસ્તાર કરીએ અને જ્યાં ધ્વનિ કે અવાજની નિયમિત ગતિ (Rhythmic movement) થતી હોય, તેને જપ ગણીએ તે વાયુમંડલમાં એક પ્રકારનો અનાહત નાદ સતત ગુ ંજે છે, તે પણ જપની કેટિમાં આવે અને સાગર અહોનિશ ગર્જન કરે છે, તે પણ જપની ડિમાં આવે. ને જપનો અ માત્ર પુનરાવૃત્તિ કરીએ તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ આદિના ઉદ્દય-અસ્ત, ઋતુએનુ નિયમિત આગમન અને વિસર્જન તથા સમુદ્રના ભરતી–એટ વગેરેનો પણ જપમાં સમાવેશ થઈ જાય. જો ભાવના સતત અનુસ ધાનને જપ ગણીએ તે એક મનુષ્ય જે ભાવનાનું નિરંતર સેવન કરતા હોય, તે જપની કક્ષામાં જ ગણાય. દાખલા તરીકે એક મનુષ્યને સેવાની લગની લાગી છે અને તે નિર ંતર સેવાનું જ રટણ કરી રહ્યો છે, તે તે એક પ્રકારના જપ કરી રહ્યો છે, એમ કહી શકાય. - આપણા શરીરમાં શ્વાસેાશ્ર્વાસની ક્રિયા નિર તર ચાલી રહી છે. તેમાં શ્વાસ લેતી વખતે ો અને મૂકતી વખતે હૈં એવે શબ્દ પ્રકટ થાય છે. મનુષ્ય એક રાત્રિદિવસમાં ૨૧૯૦૦ વાર શ્વાસેાાસની ક્રિયા કરે છે, એટલે આ સોદું શબ્દ પણ તેટલી જ વાર પ્રકટ થાય છે,
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy