SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનના હેતુઓ ૩૩૩. શરીરમાં પહોંચાડે છે. અને એ રીતે ઈન્દિર્યો વગેરેને. કાર્યક્ષમ રાખે છે. આ સ્થૂલ શરીરની અંદર સૂક્ષ્મ શરીર આવેલું છે.. સૂક્ષ્મ એટલા માટે કે ગમે તેટલી ચીર–ફોડ કરીને જુઓ. છતાં તે નજરે પડે નહિ. આ શરીરમાં મનમય કેષ. અને જ્ઞાનમયકોષ આવેલા છે. વિચારે, લાગણીઓ, ઈચ્છા-. ઓનું ઉત્પન્ન થવું આ કેષને આધીન છે. બુદ્ધિ અને. વિવેકનું ઉદ્દગમસ્થાન જ્ઞાનમય કેષ છે. ત્યાં વસ્તુના. સારા-ખોટાપણાનો નિર્ણય થાય છે. - સૂક્ષ્મ શરીરની અંદર વધારે સૂક્ષ્મ શરીર રહેલું છે, તેને કારણે શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં આનંદમય કેષ રહેલે છે. આપણને સુષુપ્ત અવસ્થામાં જે આનંદનો અનુભવ થાય છે, તે આ કેષને આભારી છે. - ત્રણ શરીર તથા પાંચ કેષનું આ વર્ણન વેદાન્તના. મતે સમજવાનું છે. જૈન ધર્મમાં પણ ત્રણ શરીર મનાયાં છે. તેમાં દશ્ય કે સ્કૂલ શરીરને ઔદારિક શરીર કહેવામાં આવે છે અને તેની અંદર રહેલા સૂક્ષ્મ શરીરને તૈજસ્ શરીર (Astral body) કહેવામાં આવે છે. શરીરમાં ગરમીઉણતા જાળવી રાખવાનું કાર્ય આ શરીર કરે છે. તેની અંદર વધારે સૂક્ષ્મ શરીર રહેલું છે, તેને કામણ શરીર કહેવામાં આવે છે. કર્મજન્ય વાસનાઓને સંગ્રહ આ... શરીરમાં હોય છે. જીવ જ્યારે શરીર છોડે છે, ત્યારે સ્કૂલ. .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy