SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર જપ-રહસ્ય વગેરેનો ઉપગ કરીએ, તે પણ શુદ્ધ હોવાં જોઈએ. આ રીતે બધાં દ્રવ્યો શુદ્ધ હોય તે મંત્રદેવતા જલદી પ્રસન્ન. થાય છે અને આપણું ધાર્યું કામ પાર પડે છે. * જે દેવતાનું મંત્રસાધન કરવાનું હોય, તેમને પધરાવવા. માટે ખાસ પીઠ એટલે એક પ્રકારનું આસન જોઈએ. (સિંહાસન ન હોય તે લાકડાનો બાજોઠ કે પાટલે પણ, ચાલી શકે.) તેના પર અમુક મંત્ર બોલીને દેવતાની સ્થાપના. કરવી અને દીપ, ધૂપ પ્રકટાવીને જપ વડે ત્રણ વાર પ્રેક્ષણ કરવું, તે દેવશુદ્ધિ કહેવાય છે. છેવટે શુદ્ધિ અંગે કબીરજીની એક સાખી સાંભળી લઈએशुद्धि विन सुमिरन नहि, भक्ति विन भजन न होय; पारस बिच परदा रहा, लोहा क्यु कंचन होय ? અંતરની શુદ્ધિ વિના નામ મરણ થતું નથી. ભક્તિઃ વિના ભજન થતું નથી. જે પારસમણિને લેઢાને સ્પર્શ થાય તો એ કંચનસુવર્ણ બની જાય છે, પણ વચ્ચે. પડદે હય, તે શું થાય? તાત્પર્ય કે અશુદ્ધિ રૂપી પડે. આવી જાય તે નામસ્મરણ કે ભક્તિનું વાસ્તવિક ફલ મળે નહિ.” શુદ્ધિના અધિકારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને તે માટે બનતે પ્રયાસ કરવાને છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy