SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાનું આલંબન ૧૨૩. આને અર્થ એમ સમજવાને છે કે ભગવાનનું નામ, અત્યંત મંગલમય છે, તે અજાણ્યું કે અશ્રદ્ધાથી બેલાયું હોય તે પણ ઘણું ફળ આપે છે. અહીં ત્રિરાશિ એવી. માંડવાની છે કે જે અશ્રદ્ધાથી બેલાયેલું કે યાદ કરાયેલું - નામ આટલું ફળ આપે છે, તે જાણીને શ્રદ્ધાપૂર્વક એ . નામને યાદ કરીએ તે કેટલું ફળ મળે? તેના બદલે જે. એવો તર્ક કર્યો કે શ્રદ્ધા વિના નામ બલવાથી ફળ મળે.. છે, તે શ્રદ્ધા રાખવાની જરૂર શી? તો એ કુતર્કના પરિણામે નામજપ કે નામસ્મરણની ગાડી આગળ ચાલવાની જ નહિ, કારણ કે શ્રદ્ધામાંથી ઈચ્છા અને ઈચ્છામાંથી પ્રયત્ન થાય છે. જેના વિષે આપણી શ્રદ્ધા નથી, તેના વિષે પ્રયત્ન –પ્રયાસ–પુરુષાર્થ થતો નથી. આ ભગવદગીતાના સત્તરમા અધ્યાયમાં સ્પષ્ટ કહેવાયું ૩ શ્રદ્ધા સુતે વર તપસ્વત વ ચર્સ असदित्युच्यते पार्थ ! न च तत्प्रेत्य नो इह ॥ હમ, દાન, તપ આદિ જે કર્મ અશ્રદ્ધાથી કરવામાં આવે છે, તેને અસત્ કહેવાય છે. હે અર્જુન ! આવાં અસત્, કર્મો નથી તે પરલોકમાં ફલ આપી શકતાં કે આ લોકમાં.” આથી શ્રદ્ધા વિના થયેલા નામજપ કે નામસ્મરણની ગણના . અસત્ કર્મમાં થાય છે અને તેનું ફલ કંઈ જ નથી. મંત્રાગનાં સેળ અંગમાં ભક્તિને પહેલી મૂકી છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy