SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર - જપ-રહસ્યા આવે છે. માટે જ શ્રદ્ધાસંપન્ન બનવાન અને કુતર્કો તથા મિથ્યા કલ્પનાએ છોડી અનુભવી પુરુષોનાં વચનને અનુ-- સરવાનો અનુરોધ છે. કેટલાક કહે છે કે “અમારામાં અકકલ છે તેથી અમે અંધશ્રદ્ધા ધરાવતા નથી. પણ જે વસ્તુને હિતકર-ઉત્તમ– શ્રેષ્ઠ જાણુને તેમાં શ્રદ્ધાન્વિત થઈએ, તેમાં અંધશ્રદ્ધા. શાની? વગર વિચાર્યું ગમે તે વસ્તુ કે વ્યક્તિ પર શ્રદ્ધા. કરીએ તેને અંધશ્રદ્ધા કહેવાય. આવી અંધશ્રદ્ધાની અમે. હિમાયત કરતા નથી, પરંતુ જે વસ્તુ કૃતિ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રણેય સેટીમાંથી પસાર થઈ છે, તેમાં શ્રદ્ધા રાખવાની હિમાયત જરૂર કરીએ છીએ, કારણ કે તેથી જપસાધનાને બળ મળવાનું છે અને પરિણામે લાભ થવાનો છે. નારદપુરાણના બીજા અધ્યાયમાં કહ્યું છે કેअश्रद्धयापि यन्नाम्नि कीर्तितेऽथ स्मृतेऽपि वा। विमुक्तः पातकैर्मत्योः लभते पद्मव्ययम् ॥ संसारघोरकान्तारदावाग्निमधुसूदनः। स्मरतां सर्वपापानि नाशयत्याशु सत्तमः ॥ - “આ ઘેર ભયાનક સંસારરૂપી વનને બાળી નાખનાર. અગ્નિરૂપ જે મધુસૂદન છે, તેનું નામ શ્રદ્ધા ન હોય છતાં વાચાથી બોલવામાં આવે યા યાદ કરવામાં આવે તે બધાં પાપથી માણસ મુક્ત થાય છે અને એ માણસ સવ મનુષ્યમાં શ્રેષ્ઠ છે.” . . . .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy