SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નાસકારમંત્રનો અદ્દભુત મહિમા આરાધનથી કલ્યાણરૂપી મહાન કલ્પવૃક્ષ તૈયાર થાય છે અને તે આરાધકના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. હિમગિરિ પર બરફના થર જામેલા હોય છે. તેને સૂર્યને પ્રચંડ તાપ જ ગાળી શકે છે. તે જ રીતે સંસાર રૂપી હિમગિરિ પર મેહના થર જામેલા હોય છે, તેને નમસ્કાર રૂપી સૂર્યને પ્રચંડ તાપ જ એગાળી શકે છે. તાત્પર્ય કે નમસ્કારમંત્રની આરાધના કરતાં સંસાર પરને મોહ એ છે થાય છે અને વૈરાગ્ય તથા ત્યાગની ભાવના મજબૂત બને છે ગરુડ પક્ષીઓને રાજા ગણાય છે. તેની ગતિ ઘણી તેજ હોય છે તથા દષ્ટિ અતિ તીક્ષણ હોય છે. તે ગમે તેવા ભયંકર ભુજંગને–સાપને ક્ષણમાત્રમાં હાત કરી નાખે છે અને હતા–ન હતા કરી મૂકે છે. નમસ્કારમંત્ર પાપરૂપી સાપને માટે તેને જ ખતરનાક છે. તે ઘડીકમાં તેને સંપૂર્ણ નાશ કરી નાખે છે. વરાહ એટલે સૂઅર તેના આગળના ભાગમાં લેખંડના દાંતા જેવા અણુદાર દાંત હોય છે. એ દાંતના પ્રહાર વડે ભૂમિને સંલગ્ન થઈને રહેલાં કંદને તે આંખના પલકારામાં ઉખાડી નાખે છે. જે દરિદ્રતાને એક પ્રકારને કંદ માનીએ તે નમસ્કારમંત્ર વરાહની દાઢા જેવું છે, એટલે કે તેને જલ્દી ઉખેડી નાખે છે. દરિદ્રતા જાય, એટલે લક્ષમી આવે અને સંપત્તિમાં વધારે થાય, એ દેખીતું છે. પ્રાચીન યુગમાં અનેક પ્રકારનાં રને રેહણાચલ પર્વતની પાશ્વભૂમિમાંથી મળી આવતાં, એટલે તેને રત્નનું ઉત્પત્તિ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy