SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ आमूलक्खणणम्मी वराहदाढा दरिदकंदस्स। . નથી . પદ્વિગ્નવંતરરયાસ છે . कुसुमुग्गमो य सुग्गइआउयबंधदुमस्स निविग्ध। उवलंभचिंधममलं विसुद्धसद्धम्मसिद्धीए ॥ નમસ્કારમંત્ર એ કલ્યાણકલ્પતરુનું અવધ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિના શિખરેને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગને વશ કરવા માટે ગરુડપક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢા છે, સમ્યકત્વરનને પ્રથમ ઉત્પન્ન થવા માટે રાહણચલની ધરતી છે, સુગતિના આયુષ્યબંધરૂપી વૃક્ષનો પુદુગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની પ્રાપ્તિનું નિર્મલ ચિહ્યું છે? આ વચનેમાં નમરકારમંત્રને અપૂર્વ મહિમા ગાવામાં આવે છે. તે બરાબર સમજી લઈએ તે નમસ્કારમંત્રનું ભવ્ય સ્વરૂપ આપણા હૃદયમાં અંક્તિ થશે અને પરિણામે તેના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-અહુમાનમાં જમ્બર ઉછાળો આવશે. કઈ ખેતરમાં ખેબ ભરીને બીજ નાખ્યાં હોય તે તેમાંના કેટલાંક ઉગે છે અને કેટલાંક ઉગતાં નથી, એટલે કે તેમાં અવધ્ય અને વિધ્ય એવા બે પ્રકારે હોય છે, પરંતુ નમસ્કારમંત્રરૂપી બીજ તે અવશ્ય અવધ્ય જ હોય છે; એટલે કે તેમાંથી અંકુરે ફૂટે છે, તેને કંધ બંધાય છે, તેમાંથી શાખા-પ્રશાખાને વિસ્તાર થાય છે અને તેને પત્ર, પુષ્પ તથા ફળ પણ આવે છે. આ રીતે નમસ્કારમંત્રના
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy