SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પારસમણિ'ની ઉપમા આપી છે, તેનું અનુકરણ કરી જૈન કવિઓએ તે ઉપમાથી પરમાત્માને ઉપમાવ્યા છે. પણ મને લાગે છે કે તીર્થકર દેવ માટે પ્રસ્તુત ઉપમા ન્યાયપૂર્ણ નથી, અધૂરી છે. અલંકારની ભાષામાં ન્યૂપમા છે, કેમકે પારસને સ્પર્શ લેહ-લેખંડને થતાં લોહના પરમાણુઓનું, પારસની ઉત્કટ અને અદ્ભુત ઉષ્ણુશકિતના બને રૂપાંતર થઈ જાય છે. એમ ભગવાનની ભક્તિના સ્પર્શથી ભક્તના પૂર્વજીવનનું નવતર રૂપાંતર થઈ. સુવર્ણ જેવું મહાન બની જાય છે વગેરે વગેરે. સાપેક્ષ દષ્ટિએ આ ઉપમા વીતરાગ ભગવાન માટે જાણે બરાબર છે. પણ યથાર્થોપમાં તે નથી જ, કારણ કે પારસ લેઢાને સુવર્ણ બનાવે તે લાભ બરાબર છે. પણ પારસમણિ કઈ લેઢાને પિતાના જેવો જ પારસ બનાવી શકતો નથી, કારણકેએ શક્તિ તેનામાં છે જ નહીં. જ્યારે ભગવાન તીર્થંકરદેવ તે, અન્ય આત્માઓને સુવર્ણ જેવા નિર્મળ માત્ર નહિ, પણ વિધિ અને ભાવની શુદ્ધિ જાળવી ઉત્કટ કેટના ઉછળતા ભાવે ભક્તિ કરનારને પિતાના સરખો તીર્થકર બનાવી દે છે. સંખ્યાબંધ આત્માઓને આપસ્વરૂપ બનાવ્યા છે. લેકભાષાની પેલી જાણીતી એક કડી પણ આજ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે-“પૂજા કરતાં પ્રાણિયો પતે પૂજનિક થાય.” આ છે પરાર્થવ્યસની તીર્થકર દેવની ભક્તિને અજોડ પ્રભાવ. આ હકીક્ત ઉપરથી વાચકોને સમજવાનું એ છે કે તમે પણ પંચપરમેષિરૂપ નવકારને મનસા, વાચા, કર્મણિ, સમર્પિત થઈ જાવ તે, તમારા જ આત્માની પાંચ પરમેષ્ઠિરૂપ પાંચ પર્યાય અવસ્થાઓ પ્રગટ થતી જશે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાતા પોતે જ અરિહંત સ્વરૂપ બની જશે. ૧. જુઓ–સિરિ સિરિવાલ કહા અને પ્રવચનસાર, તથા શ્રીપાલ રાસના-અરિહંત પદ ધ્યાત થક, વગેરે પ્રમાણે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy