SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ નમસ્કારમંત્રસિદ્ધિ પત્તા જીવ–સંસ્કૃતમાં જેને પુત્રજીવક, પુત્રજીવ કે પત્રજીવ કહેવામાં આવે છે, હિંદીમાં જેને જીયાપતા, પુતજીઆ કે પતજીવ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં જે પ્રાયઃ “જીયાત” તરીકે ઓળખાય છે, તેને ઉલ્લેખ અહીં પત્તાજીવ તરીકે કરવામાં આવ્યા છે. આ ઝાડ મોટું વધે છે અને તે કોંકણું તથા ઘાટના પર્વત વગેરે સ્થળે. વિશેષ થાય છે. તેનાં બીયાંની માતા બને છે, તે પુત્રજીવકની માલા કહેવાય છે. સ્ત્રીઓ પુત્રની પ્રાપ્તિ માટે તથા તે જીવતારહે તે માટે તેને ઉપયોગ કરે છે. આ માલા વિષણ, ઉચ્ચાટન આદિમાં ઉગી છે. રતાં જણ–રતાંદલી. તે ચંદનને જ પ્રકાર છે. હિંદીમાં તેને લાલચંદન કહેવામાં આવે છે. તેના લાકડામાંથી રમકડાં બને છે અને મણકા પાડી માલા પણ બનાવી. શકાય છે. મંત્રાનુષ્ઠાનમાં દિકુમારિકાઓ તથા પોતાના પાલે તિલક કરવામાં તેના ઘસારાને ઉપગ થાય છે. જ્યાં રાતા રંગની માલા કહેલી હેય, ત્યાં આ માલા કામમાં લઈ શકાય છે. જ –રૂપું. તેના નક્કર મણકા બનાવીને અથવા લાકડાના પારા પર રૂડું મઢીને માલા બનાવવામાં આવે છે. આ માલા નમસ્કારમંત્રના જપ માટે ઉપગી છે, પરંતુ ચાંદીના પિલા મણકામાં જે મીણ કે લાખ જેવી અશુદ્ધ વસ્તુ ભરેલ હોય, તે ઉપયોગમાં લેવા ચેચ ગણુય નહિ. સેવ–સુવર્ણ સેનું. સોનાના નક્કર મણકા બનાવીને
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy