SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ નમસ્કારમંત્રસિદ્ધિ (૭) નમસ્કારમંત્ર આ લેક અને પરલોકનાં પગલિક સુખ મેળવવાની ઈચ્છાથી નહિ, પણ આત્મકલ્યાણ માટે જ ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઈએ. કઈ પણ ધાર્મિક કિયા સાંસારિક સુખના હેતુથી કરતાં નિયાણું બંધાય છે અને તેનું ફળ એ સુખ પૂરતું જ મર્યાદિત બની જાય છે, તેથી નિયાણાને મિથ્યાત્વ અને માયાના જેવું જ એક પ્રકારનું શલ્ય ગણવામાં આવ્યું છે અને તેને હેયકેટિમાં મૂકેલું છે. (૮) આ દિવસે ભાવમંગલ તરીકે ઉપવાસની તપશ્ચર્યા કરવી જોઈએ. કદાચ તે પ્રકારની શક્તિ ન હોય તે એકાસણું કે આયંબિલની તપશ્ચર્યા તે અવશ્ય કરવી જોઈએ. (૯) ત્યાં નંદિની સ્થાપના હોય તે ત્રણ વાર પ્રદક્ષિણ દેવાપૂર્વક ચિત્યવંદન કરવું જોઈએ અને છબી પધરાવેલી હોય તે માત્ર ચૈત્યવંદન કરવું જોઈએ. ત્યારબાદ મૂર્તિ કે છબી પર દષ્ટિ તથા મન સ્થાપી અરિહંત પરમાત્માને મહા ઉપકાર ચિતવે જોઈએ, કારણ કે આ મંત્રનું તેમના દ્વારા પ્રવર્તન થાય છે. (૧૦) ત્યારબાદ ગુરુને પચાંગ પ્રણિપાત કરી બે હાથની. અંજલિ બનાવી વિનયાવનત મસ્તકે નીચે પ્રમાણે વિનતિ કરવી જોઈએ: “હે ભગવન! આપને હું ત્રિકરણશુદ્ધ પ્રણામ કરું છું અને આપની કૃપા ચાહું છું. આપ મને સંસારસમુદ્ર તરવા માટે નૌકા સમાન, સલારામ-રહસ્યભૂત, ત્રિકાલ મહિમાવંત. અચિંત્ય પ્રભાવશાળી એવા શ્રી નમસ્કાર મહામંત્રનું દાન કરે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy