SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્ર ગ્રહણવિધિ ૧૬૩ જોઈએ, અથવા તે તીર્થકર ભગવંતની સુંદર છબી ઊંચા સિંહાસન પર પધરાવવી જોઈએ અને ત્યાં ઘીને દીપક કરી ધૂપ વગેરે વડે સુગંધ પ્રકટાવવી જોઈએ, તેમજ એ સ્થાનને આસોપાલવના તેરણ વગેરેથી શણગારવું જોઈએ. () મંત્રગ્રહણના દિવસે સાધકે ઈષ્ટદેવતાપૂજન આદિ પિતાનું નિત્યકર્મ કરીને તથા માતા-પિતા, વડીલ વગેરેને પ્રણામ કરીને ચગ્ય વેશભૂષા ધારણ કરવાપૂર્વક મંત્રગ્રહણના સ્થાને અતિ ઉલ્લસિત હૃદયે જવું જોઈએ. જેને પિતાના ધર્મ પર પ્રેમ નથી કે કુલાચાર માટે માન નથી, તેને કઈ પણ મંત્ર સિદ્ધ થતું નથી, એમ મંત્રવિશારદનું માનવું છે, તેથી નમસ્કારમંત્રની સવર સિદ્ધિની આશા રાખનારે જૈન ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ કેળવવો જોઈએ તથા સામાયિક, પ્રભુપૂજા આદિ નિત્યકર્મ પણ અવશ્ય કરવું જોઈએ. (૫) મંત્રગ્રહણના સ્થાને પહોંચ્યા પછી ત્યાં વિરાજ રહેલ સમય, દઢ ચારિત્ર ગુણવાળા અને શાક્ત અનુષ્ઠાન કરાવવામાં બદ્ધલક્ષ્ય એવા ગુરુને ત્રણ વાર પંચાગ પ્રણિપાત કરીને ક્રિયા કરવામાં તત્પર થવું જોઈએ. (૬) આ વખતે જાતિમદ આદિ આઠ પ્રકારના મદોને ત્યાગ કર જોઈએ, આશંકારહિત બનવું. જોઈએ તથા શ્રદ્ધા, સંવેગ અને શુભ વિચારેથી આત્માને અતિ ઉલ્લસિત બનાવવું જોઈએ.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy