SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] સાધક યોગ્યતા કેળવવી ઘટે એગ્યતા અર્થાત્ લાયકાત કેળવ્યા વિના શરૂ કરાયેલું કાર્ય ઘણે ભાગે વિડંબનાને નેતરે છે અને અપયશ આપે છે, તેથી હિતાવહ એ છે કે નમસ્કારમંત્રના સાધક થવા માટે તે અંગેની ગ્યતા અવશ્ય કેળવી લેવી. આ પ્રકારની ગ્યતા કેળવવા માટે મંત્રસાધકે સહુથી પ્રથમ કાર્ય એ કરવાનું છે કે જે આજ સુધી કઈ પણ કારણવશાત્ ગુરુની ધારણ કરી શકાઈ ન હોય તે કરી લેવી, એટલે કે ગુરુ ધારણ કરવા, કારણ કે સાધ્યમંત્રી તેમની પાસેથી ગ્રહણ કરે પડે છે અને સાધના દરમિયાન અનેક વખત તેમનું માર્ગદર્શન મેળવવું પડે છે. મંત્રવિશારદો તે મંત્રદાતા. ગુરુને સાક્ષાત્ મંત્રદેવતા માની તેમની સાથે એ પ્રકારને વ્યવહાર રાખવાનું ફરમાવે છે. જેને માથે ગુરુ નથી, તે નગુરે કહેવાય છે અને નગુરાને કદી પણ મંત્રસિદ્ધિ થતી નથી. તેમજ જે ગુરુ કર્યા પછી તેમને છોડી દે છે, તે સાધનાથી શ્રણ થાય છે અને નરક જેવી મહા નીચ ગતિ પામે છે. સદ્દગુરુને શોધવાનું કામ અઘરુ તો છે જ, પણ હાર્દિક ભાવના બળવાન હોય તે એ કામ અવશ્ય પાર પડે છે. અમારે તથા બીજા કેટલાકને અનુભવ આ પ્રકાર છે. આ કાર્યમાં બુદ્ધિ કરતાં શ્રદ્ધા વિશેષ કામ આપે છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy