SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કેમ કરવી ? ૧૪. લાવવાને નયી, “સાધનાને આ અપૂર્વ અવસર ક્યાંથી મળે?” “મારા ધન્ય ભાગ્ય કે મને આ સાધનાને વિચાર સૂઝ” પુણ્યશાળી આત્માઓને જ આવી સુંદર સાધનાને. ચેગ મળે છે. વગેરે વિચારોનું સેવન કરવાથી ઉત્સાહ કે ઉલ્લાસની વૃદ્ધિ થાય છે અને તે સફલતા ભણી ઝડપથી લઈ જાય છે. (૫) પરાક્રમ એટલે અંત, મુશ્કેલીઓ, પરીષહકે વિદને સામે પૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી. જવાની વીરતા બતાવવી. આપણે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કરીએ. એટલે તેમાં એક યા બીજા પ્રકારનું વિધે તે આવે જ છે. વળી “સારાં કામમાં સો વિઘન” એ ઉક્તિ અનુસાર સારાં કાર્યોમાં વધારે. વિને આવે છે. મંત્રવિશારદના અભિપ્રાય મુજબ સાધનાના પ્રથમ ત્રણ વર્ષોમાં વિજોની બહુલતા રહે છે અને સાધકે તેને ધૈર્યપૂર્વક ઓળંગવાની હોય છે. જે આ પ્રકારની તૈયારી ન હોય તે સિદ્ધિની વાત રહી જ ક્યાં? તાત્પર્ય કે નમસ્કારમંત્રના સાધકે સાધના દરમિયાન નાના મોટાં ગમે તેટલાં વિદને આવે, તેને હૈયથી ઓળંગી. જવા જોઈએ. એમ થતાં સિદ્ધિ હસતાં મુખડે સામે આવવાની અને વિજ્યની વરમાળ કંઠમાં પડવાની. • આ પ્રકરણને ઉપસંહારરૂપે એટલું જણાવીશું કે આ જગતમાં જે મહાપુરુષે કૃતકૃત્ય થયા, નિકિતાર્થ થયા,
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy