SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાની આવશ્યકતા ૧૧૩. પૂર્વ॰ભવની એ સાધનામાં નમસ્કારમંત્રની સાધના પણ કેટલાક પ્રમાણમાં થઈ હશે, કારણ કે નરભવના સુખનું કારણુ પણ નમસ્કારમત્ર જ છે, એમ શાસ્ત્રકારાનું કથન છે. હવે એ સાધના આગળ વધારવી કે નહિ ? એ આપણે વિચારવાનું છે. જો સાધના વિના સિદ્ધિ મળતી હેાત તે સહુ કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી સિદ્ધ મની ગયા હોત અને અક્ષયઅવિચલ સુખ ભાગવતા હાત; પછી સંસારમાં નરક, તિય "ચ, મનુષ્ય અને દેવ એ નામની ચાર ગતિ પણ ન રહેત અને ભવભ્રમણ જેવી કાઈ ક્રિયા પણ ન રહેત; પરંતુ આપણે જાણીએ છીએ કે આજે ચારે ગતિ વિદ્યમાન છે અને આપણું તેમજ બીજા અનંત જીવનું ભવભ્રમણ ચાલુ છે, એટલે સાધના કરે તેને જ સિદ્ધિ મળે, એ કુદરતના કાનૂન અટલપણે અમલમાં છે. નમસ્કારમંત્ર શ્રેષ્ઠ છે, પવિત્ર છે, મહાન છે, અદ્ભુત છે, અલૌકિક છે, ત્રિકાલ મહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાલી છે, જિનશાસનના સાર છે તથા અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે, એવુ' પ્રતિપાદન કરવાના મુખ્ય આશય તા એ જ છે કે જ્યારે આવા એક ઉત્તમ મત્ર આપણને અનાયાસે પ્રાપ્ત થઈ ગયા છે, ત્યારે તેની સાધના-આરાધના–ઉપાસના અવશ્ય કરવી જોઈએ અને તેનાથી આપણા જીવનને ધન્ય અનાવવું જોઈ એ. એક વસ્તુ અત્યંત લાભકારી છે, એમ જાણ્યા પછી.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy