SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ નમસ્કારમંત્રસિદ્ધિ આપી રહ્યા હતા. એવામાં એક નવજુવાન ચારણ ઊભું થયે. અને તેણે નીચેનું જોડકણું સંભળાવ્યું: તું કરતે તે તપ, તે દિ હું ભરતે તે ભાલિયા દેવું હોય તે દે, નહિ તે રહેવા દે આલિયા. સહુ તેના તરફ એકીટશે તાકી રહ્યા અને હમણાં કઈ નવા-જૂની થશે, એમ માનીને તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. પણ આ ખાચર બહુ સમજુ હતા. તે આ જોડકણુને ભાવાર્થ બરાબર સમજી ગયે અને તેને શાબાશી પૂર્વક બધા કરતાં મેટું ઈનામ આપ્યું. તેના કહેવાનો ભાવાર્થ એ હતું કે “હે આલાખાચર !' તને આ રાજ્ય મળ્યું છે, તે એમને એમ મળ્યું નથી, પણ તે પૂર્વભવમાં ઘણું તપશ્ચર્યા કરેલી, સાધના કરેલી, તેથી મળ્યું છે. હવે તું પૂર્વભવમાં આ રીતે સાધના કરતું હતું, ત્યારે હું તારે ઉત્તરસાધક હતું, એટલે પાણીના ભાલિયા અર્થાત્ ઘડા ભરતે અને બીજી પણ સેવા કરતે. આમ તું અને હું પૂર્વભવના મિત્ર છીએ અને તેને રાજ્ય મળ્યું તેમાં મારે પણ હિસ્સો છે. આ વાતને વિચાર કરીને હે મારા મિત્ર આલિયા! તારે કંઈ પણ આપવું હોય તે આપીને તારું કર્તવ્ય બજાવ, અન્યથા મારે કંઈ કહેવું નથી.” તાત્પર્ય કે આપણને મનુષ્યભવ મળે, સંપત્તિ મળી સુખનાં સાધને મળ્યાં એ પૂર્વભવની સાધનાને પ્રતાપ છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy