SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ વિકુવેલી હોય છે. અતિશય એટલે શ્રેષ્ઠ પ્રભાવસૂચક લક્ષણતે અરિહંતના અનેરા આત્મવિકાસમાંથી પ્રટે છે. આમ તે અરિહંતદેવના અતિશયે ૩૪ છે, પણ અહીં તેને સંક્ષેપ “ચાર મૂલ અતિશય” તરીકે કરવામાં આવે છે. અરિહંત કે તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતા હોય, ત્યાં તેમના શરીરથી બારગુણુ ઊંચા અશોકવૃક્ષની રચના થવી, તે “અશોકવૃક્ષ” નામને પ્રથમ પ્રાતિહાર્યગુણ, દેવતાઈ પુની વૃષ્ટિ થવી, તે “સુરપુષ્પવૃષ્ટિ' નામને બીજો પ્રાતિહાર્યગુણ. આકાશમાં દિવ્ય દવનિ , તે “દિવ્ય દવનિ” નામને ત્રીજે પ્રાતિહાર્યગુણ. શ્વેત સુંદર ચામરે વીંઝાવા તે “ચામર નામને ચે પ્રાતિહાર્યગુણ. પાદપીઠ સહિત સુંદર સિંહાસનનું રચવું, તે “આસન' નામને પાંચ પ્રાતિહાર્ય ગુણ તેજને સંક્રમ કરવા માટે મસ્તકની પાછળ ભામંડલનું રચાવું, તે “ભામંડલ” નામને છઠ્ઠો પ્રાતિહાર્ય ગુણું. આકાશમાં દેવદુંદુભિનું વાગવું, તે “દુંદુભિ' નામને સાતમે પ્રાતિહાર્ય ગુણ અને માથે ત્રણ અનુપમ છ ધરાવ, તે “આતપત્ર” નામને આઠમે પ્રાતિહાર્ય ગુણ નીચેના શ્લોકમાં આ અસ્મહાપ્રાતિહાર્યના નામે ક્રમશઃ જણવેલાં છે. જેમકે અશોકક્ષા સુપુષ્ટિ दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy