SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રને ચિતનીય વિષય ૮૫ નિગ્રંથ મહર્ષિઓની કહેલી એક ગાથા નીચે પ્રમાણે જોવામાં આવે છે: बारस गुण अरिहंता, सिद्धा अहेव सूरि छत्तीसं । उवज्झाया पणवीस, साहू सगवीस अट्ठसयं ॥ અરિહંતે બાર ગુણવાળા, સિદ્ધો આઠ ગુણવાળા, આચાર્યો છત્રીશ ગુણવાળા, ઉપાધ્યાયે પચીશ ગુણવાળા તથા સાધુઓ સત્તાવીશ ગુણવાળા, એમ પરમેષિપંચક એક આઠ ગુણવાળું હોય છે.' ગુણેને આ વિભાગ ચાદ રાખવા માટે નીચેનું ત્યવંદન ઊપયોગી છેઃ બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણસાધુના, જપતાં શિવસુખથાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મળી, એમસમનવકાર ધીરવિમલ પંડિતતણે નયપ્રણમેનિત સાર. ૩ : અલ્ડિંત ભગવંતના બાર ગુણે અરિહંત દેવના બાર ગુણેમાં “અષ્ટમહાપ્રાતિહાર્ય” અને “ચાર મૂલ અતિશય” ની ગણના થાય છે. પ્રાતિહાર્ય એટલે પ્રતિહારીની માફક સાથે ચાલનારી વસ્તુ. આવી વસ્તુઓ આઠ છે અને તે સ્વરૂપમાં મહાન છે, તેથી અષ્ટમહાપ્રાતિહાર્ય કહેવાય છે. તે સમીપમાં રહેલા દેવતાઓએ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy