SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રસિદ્ધિ કેટલાક કહે છે કે તે માટે અમુક પ્રકારનાં અનુષ્ઠાને કરે, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે કે આકરા દંડ ભે, પણ પ્રમાદી ભીરુ આત્માની તે માટે તૈયારી નથી. આ સગેમાં પંચનમસ્કાર એ જ એક એવું સાધન છે કે જે તેના પાપને પૂ. પરિહાર કરે છે અને તેને પવિત્ર બનાવી તેની આધ્યાત્મિક પ્રગતિનાં દ્વાર ખુલ્લા કરી આપે છે. આ કંઈ જેવું તેવું ફળ ન કહેવાય. પંચનમસ્કાર બીજું પણ વિશિષ્ટ ફળ આપે છે. તેને નિર્દેશ “મારુi = સર્ષિ, પરમં દૃવ મં” એ શબ્દો દ્વારા કરવામાં આવ્યો છે. પંચપરમેષ્ઠીને ભાવથી નમસ્કાર કરીએ, એટલે સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ એવું મંગલ પ્રાપ્ત થાય છે અને તેના લીધે સર્વ અભિલષિત પદાર્થની પ્રાપ્તિ ઉપરાંત ધર્મને ઉજ્જવલ પ્રકાશ પણ સાંપડે છે. મંગલ શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે થાય છે. તેમાં એક વ્યાખ્યા એવી છે કે “મરિ હિતાર્થ સંતતિ મજીભૂજે સર્વે પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ.” અને બીજી વ્યાખ્યા એવી છે કે “મતિ સુરદમનાભાટુ વેરિ મ -જેના વડે કે જેનાથી દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય તે મંગલ.” આ બંને વ્યાખ્યાઓ સર્વ અભિલષિત પદાર્થની. પ્રાપ્તિનું સમર્થન કરે છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં मंगिज्जएऽधिगम्मइ, जेण हि तेण मंगलं होई। अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ।।
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy