SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ - બુદ્ધિ-સ્મૃતિ વધારનાર અભુત સ્તોત્ર ૨૪૧ બને છે, તે ઈચ્છિત વસ્તુને મેળવે છે, સરસવતી દેવી સ્વયં પિતાના પુત્રની જેમ તેની રક્ષા કરે છે, તેનું સૌભાગ્ય વધે છે, તેની કવિતા લેકમાં પ્રસાર પામે છે અને વિન નષ્ટ થઈ જાય છે. ૭. તે સ્તુતિ કરનારની વિદ્યા નિર્વિધનપણે પ્રભાવશાળી બને છે, શીધ્રપણે શાસ્ત્રનું જ્ઞાન થાય છે, ત્રણે લેકમાં કીતિ પ્રસરે છે તથા સાક્ષાત્ સરસ્વતી દેવી તેના મુખમાં વિરાજમાન રહે છે. તે સ્તુતિ કરનાર દીર્ધાયુ, જગપૂજ્ય, સકલ ગુણને આગાર તથા નિરંતર રાજમાન્ય બને છે. ભગવતી મા દેવીની ઉત્તમ કૃપાથી ત્રણે લોકમાં તેને સાક્ષાત્ વિજય થાય છે. ૮. ( જે માણસ તેરસના દિવસે અને રાત્રે (૨૪ કલાક, સુધી) સરસ્વતીદેવીમાં ભક્તિભાવ રાખી બ્રહ્મચર્યપૂવર્ક, વ્રત રાખે છે અને મૌનપણે આ સ્તંત્રને પાઠ કરે છે, તે ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે. ૯. શ્વેત વસ્ત્ર ધારણ કરનારી તથા શ્વેત અલંકારો - વડે અલંકૃત એવી સરસ્વતીદેવીનું ધ્યાન કરીને અવિચ્છિન્ન પણ શકલ અને કુણ આવા બંને પખવાડિયાની તેરસના દિવસે એકવીશની સંખ્યામાં આ સ્તોત્રને પાઠ કરે છે, તે છ મહિનામાં ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. ૧૦-૧૧ : જપની પૂવે માળાની પ્રાર્થના આ રીતે કરવી ? “હે માળા! તું બધા દેવાની ઈચ્છા પૂર્ણ કરનારી છે, તેથી સત્યપણે મને પણ સિદ્ધિ આપ. હે માતા ! તને હું નમન કરું છું.” ૧૨. . . ૧૬
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy