SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રદિવાકર ૧૫૦ તે અમને લાગે છે કે આધ્યાત્મિક વિકાસના કાળે અર્ધોપાણા કલાકથી વધારે સમય ભાગ્યે જ આવે. કેટલાકની સ્થિતિ તે એગણીસમાંથી એગણીસ, અઢારમાંથી અઢાર કે સત્તરમાંથી સત્તર ખાદ થાય એવી હાય છે. તાત્પર્ય કે તે બધા વખત વ્યવહાર અને વ્યાપારની ભાંગજડમાં પડયા હોય છે અને આધ્યાત્મિક વિકાસ માટે થાડી સીનીટે પણ ફાજલ પાડી શકતા નથી. શરીર, મન અને આત્મા, એ ત્રણ વસ્તુએ પૈકી આત્મા ઉપર વધારે લક્ષ્ય આપવા જેવુ' છે, તે ત્યાં આછામાં આછું અપાય છે. ખરેખર ! આ નીતિ ઉલટી છે અને તેનુ પરિણામ સારું આવી શકે જ નહિ, અહી અમને એક વાત યાદ આવે છે. ધનીરામ શેઠે પેાતાને ત્યાં કથા બેસાડી. કથા વાંચનારા પુ′ડિત અભયરામજીની જીભે સરસ્વતી હતી. એટલે સહુને કથા સાંભળવામાં ખૂબ જ મજા પડી અને કામ આગળ ચાલ્યું. એમ કરતાં એક મહિના થયા, ત્યારે શેઠને ત્યાં લગ્નને પ્રસંગ આવ્યેા. તેથી કથા અધ રાખવામાં આવી અને પંડિતજીને લગ્નત્સવ માદ દક્ષિણા લઈ જવાનું જણાવ્યું. ધનીરામ શેઠે લગ્નાત્સવ ઘણી ધામધૂમથી કર્યા. તેમાં છેલ્લા દિવસે એક રામજની એટલે નકીને નાચવા ખાલાવી. તેનેા નાચ જોઈને પધા ખુશ થઈ ગયા. આથી શેઠે પ્રસન્ન થઈ ને તેને સાતસે રૂપિયાની ભેટ કરી. -
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy