SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ • મંત્રદિવાકર સ્વાભાવિક પ્રાણાયામ કહેવામાં આવે છે. આજકાલ જેને ઊડે શ્વાસ (Deep breathing) કહેવામાં આવે છે, તે પણ આના જેવી જ ક્રિયા છે, પણ તેમાં તફાવત એટલે છે કે શ્વાસને ઉદરમાં રોકી રાખવામાં આવતો નથી. પ્રાણાયામની પરિભાષામાં કહીએ તે તેમાં પૂરક અને રેચકની ક્રિયાઓ હોય છે, પણ કુંભકની ક્રિયા હતી નથી કે જે શરીરને રોગરહિત બનાવવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. અનુલોમ-વિલોમ પ્રાણાયામને વિધિ એવો છે કે (૧) પ્રસન્નમન વડે શુદ્ધ વાયુવાળા સ્થાનમાં પવિત્ર ભૂમિપર પવિત્ર આસન પર પાસનેપ પૂર્વાભિમુખ બેસવું. (૨) પછી પિતાના સશુરુને ત્રણ પ્રણામ કરવા. . (૩) પછી જમણા હાથના અંગૂઠા વડે જમણું નસકોરું અને ટચલી આંગળી વડે ડાબું નસકેરું બંધ કરવું.' (૪) પછી અંગૂઠે ઉઠાવી લઈને જમણા નસકેરા, દ્વારા વાયુને શેડો બહાર કાઢો અને તે પછી અંગૂઠાથી તે નસકેરું બંધ કરી ટચલી આંગળી ઉઠાવી લઈ ડાબા. નસકોરા વડે શ્વાસ અંદર ખેંચો. . (૫) તે પછી કુંભક કરવો. (૬) અને પછી અંગુઠે ઉઠાવી લઈને જમણા નસકોરાંથી શ્વાસ ધીમે ધીમે બહાર કાઢો. A.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy