SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા–પરિપાલન ] ૪૩૩ પ્ર૦-પરાર્થે પ્રવૃત્તિ દા. ત. ઉપદેશ ક્યારેક નિષ્ફળ જાય છે ને ? ઉ૦-પરોપદેશે પાંડિત્ય હોય ત્યાં પોતાના આત્મામાં ઠેકાણું નથી એટલે નિષ્ફળ જાય; કેમકે આચાર સાથેના ઉપદેશની અસર પડે છે. બાકી ઉત્તરોત્તર વેગ સિદ્ધિવાળા મહાત્માઓની દેશનામાં આપણે જેને નિષ્ફળતા સમજીએ છીએ એ ઉપલકિયા નિરીક્ષણ છે. ખરી રીતે શ્રોતાઓના દિલમાં કાંઈને કાંઈ અસર દા. ત. પાપ પ્રત્યે કમકમાટી વગેરે થયું હોય છે. ત્યારે વ્યક્તિગત ઉપદેશમાં તે એ પરાર્થકુશળ મહાત્મા અયોગ્ય પર પ્રયત્ન કરવા જતા જ નથી, પછી નિષ્ફળતા શાની મળે? સમંતભદ્ર અર્થાત્ તે પરાર્થસાધક મહાત્મા ચારે બાજુથી કલ્યાણરૂપ હોય છે, કેમકે એ સર્વ આકારે સંપન્ન છે. એમની મુદ્રા સૌમ્ય, નયન આકર્ષક, વાણું એકાંત કલ્યાણની, પ્રવૃત્તિમાત્ર કલ્યાણરૂપ, સ્વભાવ બહુ જ મુલાયમ અને મધુર, ચાલ કરણાભરી, બીજા સાથે વ્યવહાર અતિશય સૌજન્ય ભરપૂર અને ઉદાર...વગેરે હોય છે. એવા એ સુપ્રણિધાનાદિત' અર્થાત્ (૧) પિતાની અંગત સાધના શું, કે પરાર્થ સાધના શું, સર્વ સાધનામાં સમ્યક પ્રણિ. ધાન, પ્રવૃત્તિ, વિજય અને સિદ્ધિવાળા હોય છે કારણ, કયાં ય પણ એ ન્યૂનતા–ખામી-ગફલતવાળા હોતા નથી. એથી (૨) સામામાં પણ પ્રણિધાનાદિ જગાડનારા બને છે. દેખાય છે કે સર્વ વાતે ચોકકસ શિક્ષક એગ્ય વિદ્યાર્થીને પણ ચોકસાઈવાળે તયાર કરે છે. એમ આવા સુચગ્ય સમંતભદ્ર મહાત્માથી પામેલા ભવ્યાત્માએ પણ પ્રણિધાનાદિવાળા બને છે. ૮
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy