SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૫ આ પરિણામ છે. તે જે ધીમે ધીમે વધી જશે. તે શરીરની સાતે ધાતુઓમાં પ્રસરી કારમી પીડા અને કદાચ મૃત્યુ પણ કરશે. પરંતુ જે મારા બતાવ્યા પ્રમાણે ઔષધનું સેવન કરશે, તો જરૂર ફાયદો થશે. તેમા પચ્ચ તે પાળવુ જ પડશે. બીજે બધો જ ખેરાક છેડી દઈ, માત્ર થોડું મગનું પાણી લેવું પડશે. તે પણ દિવસના બે જ વાર, તે સિવાય કશું જ નહિ. ભૂલેચૂકે પણ બીજા ખેરાકને અડાશે ય નહિ; ગમે તેટલી ભૂખ લાગશે, પણ કાંઈ જ ખવાશે નહિ પાણી પણ બહુ જ ઓછું પીવાનું તરસ લાગે તે પણ સહન કરવી પડશે. ઔષધ જૂદું જૂઠું અને બહુ કડવું હશે, તે ય દિવસમાં દસ વખત લેવું પડશે; તે પણ વખતસર, તેમાં ભૂલ નહિ ચાલે. તેથી કદાચ પેટમાં પીડા થશે કે તાવ આવશે, શરીરમાં કળતર થશે, નિદ્રા ય નહિ આવે, એ બધું સહન કરવું પડશે. પવન વિનાના સ્થાને પથારીમાં જ રહેવું પડશે ઉઠાશે ય નહિ અને બહાર જવાશે પણ નહિ. એમ કરવાથી રોગ મટી જશે આટઆટલા નિયમ છતાં, મહારોગથી દુખી દરદી, રેગને નાશ કરવા તે ધ્યાનપૂર્વક સાંભળે છે, અને ચિકિત્સા શરૂ કરે છે. હવે તે આજ સુધી ખાનપાન હરવું ફરવું, બેસવું, ઉઠવું વગેરે યથેચ્છ–મનફાવતી રીતે કરતા હતા. તે હવે તેને અટકાવી દે છે હવે વૈદ્ય જેમ કહે છે, તે પ્રમાણે જ બધું કરે છે. - આ પ્રકારે સેવન કર્યાથી તે કઢના ચાઠા વગેરેની સાથે જેમ જેમ વ્યાધિથી મૂકાતો જાય છે, તેમ તેમ પીડા દૂર થતી જાય છે. હવે મસ્તકાદિમાં તેવી ઉગ્ર વેદનાઓ કે શરીરે ચળ નથી ઊઠતા. શરીર કંઈક સ્વસ્થતા અનુભવાય છે એથી આરોગ્ય
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy