SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ જન્મ છે; અને જન્મ છે, તે અવશ્ય મૃત્યુ છે. બહુધા એ પણ પંડિત-મરણ નહિ કિ તુ બાળ-મરણ હોવાથી ચારે ગતિમાં અનેક નિઓમાં, વારંવાર મૃત્યુ લાવે છે. એથી મુમુક્ષુ ક્ષાત્રવટના પ્રણિધાન કરે કે “આ તે કાળ છે કે જ્યાં હું રાગદ્વેષના કૂિલઈ બંધનને કાચા તાંતણાની માફક તોડી નાખીશ. શું કામ છે મારે ખેટા રાગ-દ્વેષમાં તણાઈને? એથી મારા આત્મામાં કશે જ ગુણ નથી થતો. માટે મારે તે હવે આ ફેગટિયા રાગદ્વેષને નિકાલ જ કરી નાખવાને. એ કરીને હું મૃત્યુ ઉપર વિજય મેળવીશ.” તેથી જ “આપણે તે ભાઈ! ઢીલા, સુંવાળા, સુકુમાર, આવા વખતમાં આપણાથી શું થઈ શકે ? ” એવા વેવલા શબ્દોને કાઢી નાખી, પ્રતિક્ષણ મૃત્યુને નજર સામે રાખી પ્રબલ શુભ ભાવનાનું જેમ વિકસાવવાનું, અને હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકાર અને મેહના નશાને ફગાવી નાખવાને. A B જનકરાજાને મંત્રી પૂછે છે, “આપ આવા રાજશાહી સુખ ભેગે છે છતાં લોકે કેમ આપને વિદેહી કહે છે ?' રાજાએ અવસરે જવાબ આપવાનું કહી, એક વાર મિજબાની ગોઠવી, મંત્રીને પણ ચાર વાગે આવવાનું આમંત્રણ મોકલ્યુ. એ દિવસે બે વાગે ઢંઢેરે પિટા કે મંત્રીને પાચ વાગે ફાંસી દેવાની છે. મંત્રીના તો એ સાંભળીને હોશકોશ જ ઉડી ગયા! એ જમણમાં આવ્યો પણ એને પકવામાં રસ નથી. રાજા પૂછે, કેમ આમ?” એ કહે છે, “શું પૂછે છે ? કલાક પછી મૃત્યુ નજર સામે હોય ત્યાં માલમેવામાં રસ રહે?” રાજા કહે છે, તે બસ, તમને તો કલાક પછી, પણ મને તો બીજી જ ક્ષણે મૃત્યુ ભાસ્યા કરે છે એટલે રાજશાહી સુખોમા ય શે રસ રહે?
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy