SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તો એ જરૂર પ્રગટ થાય. જિનાગમની કસ્તૂરીના પુટથી વાસિત કરેલ આત્મામાંથી જુગજની અવળી આદતની બદબ નાશ પામતાં વાર નહિ. એ બદબો ગયા પછી તો શુદ્ધ સ્વરૂપે શાશ્વતકાળ રહેવા રૂપ મોક્ષ થાય એમાં નવાઈ શી? વળી આરા એ ચિકિત્સા–શા –વળી મિથ્યાત્વ અવિરતિ અને કષાયગ તથા કર્મ-વ્યાધિ દૂર કરવા આગમ એ ચિકિત્સા–શાસ્ત્ર છે. એમાં કર્મરોગ મિટાવવાના અનેક ચક્કસ ઉપાયે અને વિવિધ વિધાન (પ્રિકિશને) છે. એને સર્વજ્ઞ–વચન જ બતાવી શકે. એની ઉપેક્ષા કર્યેથી શું વળે? આગમે બતાવેલા એ ઉપાયભૂત દયા, દાન, ત્યાગ, તપસ્યા, ઇન્દ્રિયદમન, પ્રભુની ભક્તિ, એ બધું વિરતિના પરિણામ વધારવા માટે છે; જેથી અવિરતિ–મિથ્યાત્વ-કપાયાદિ જગ ઘટત આવે. “એ દાનાદિ બધાની શી જરૂર છે? આપણે તે અણુવ્રત લઈ લીધાં છે, આમ ચા વાળી રાંક જીવ હજી પણ અનાદિકાળની ઊંધી વૃત્તિ–પ્રવૃત્તિને જીવંત રાખી રહ્યો છે !! જીવની એ કેવી અજ્ઞાનતાભરી આદત છે કે “દેવગુરુને પિતાના તરીકે સારા ન સેવવા, પણ શરીરને પિતાનું ગણી સા સેવવું! ઘર દુકાન પૂર્ણ સંભાળવા, અને મંદિર ઉપાશ્રયની સામેય ન જેવું ! ધર્મ ખાતર કાંઈ ન કરવું, અને ઘર ખાતર બધું કરી છૂટવું! ધર્મક્ષેત્રમાં ન ઘસાવું, પણ સંસાર-વ્યવહાર માટે બહુ ઘસાવું! પરમાર્થમાં હદયથી રાતી પાઈન ખરચવી, જ્યારે ઘર અને દુકાન પાછળ હાંસથી ધનને ધુમાડો કરો ! જડની વાતામા વગર ક તૈયાર, અને આત્માની વાત–વસ્તુમાં પ્રેરણા છતાં પ્રમાદ! અગર ઉપેક્ષા !” આ બધે અનાદિ કાળનો મોહ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy