SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ તથા ભક્તિ અને ઉપાસના, એમ ત તથા આચારોનું શિક્ષણ, પરમાત્મધ્યાન, વ્રત–પચ્ચકખાણ, ઈન્દ્રિયનિગ્રહ, કષાયજય..... ઈત્યાદિ અતિ જરૂરી છે. કેમકે, દા. ત., તેના અભ્યાસથી સાવદ્ય કાર્ય માત્ર એને આત્મહિતનાં ઘાતક અને હેય લાગે છે. તેથી સાવઘથી થતા પૌગલિક લાભમાં હર્ષ–રાગાદિ નહિ કરે, સાથે જ, આજ્ઞાવશ બીજા પવિત્ર આચારોથી કેળવાતો આત્મા દ્વેષની ભઠ્ઠીને ઓલવી નાખશે.વગેરે દોષોથી મુક્ત થઈ અંતે મેક્ષ પામે તે બધું આજ્ઞાના પ્રભાવે જ થાય. તીર્થકર ભગવાને પણ પૂર્વજીવનમાં જિનવચનરૂપી અમૃતનું સેવન કરતાં આગળ વધે છે, અને અંતે મેક્ષ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવે મરુભૂતિના ભવથી માંડી ઉત્તરોત્તર ભવમાં જિનવચનરૂપી કલ્પવૃક્ષની ઉપાસના કર્યે રાખી. અંતે ફળમાં દસમા ભવે એ તીર્થકર થઈ મોક્ષ પામ્યા. જંબૂકુમારે ભવદત્તના ભવથી જિનવચન–કલ્પવૃક્ષની આરાધના કરવા માંડી તે પાંચમે ભવે જંબુસ્વામી બની મોક્ષ પામ્યા. વળી સે મણ સાકરમાંથી ખૂબ પ્રકિયાએ સત્વ (અક) ખેંચ્યું હોય તે તેની કેટલી મીઠાશ ગજબ ને? તેના એકેક કણમાં પણ કેટલી મધુરતા ? છતાં તે સત્ત્વ લાખ મણ રતીમાં ભળી ગયેથી તેની મધુરતા ક્યાથી દેખાય? હા, તેનું પૃથકકરણ કરવામાં આવે તે અર્ક—સત્ત્વ જુદું પડયેથી મધુરતા જણાય. આત્માની પણ તેવી જ સ્થિતિ છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં અનંત આનંદ અને વીતરાગતાની મધુરતા ભરી પડી છે. પરંતુ અનંતા કર્મપ્રદેશે એમાં એકમેક-સેળભેળ થઈ જવાથી તે મધુરતા છપાઈ ગઈ છે. જિનાજ્ઞાની પ્રક્રિયાથી કર્મનું પૃથક્કરણ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy