SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કે જે હૃદય કઠેર છે અને અહંત ભુલાતું નથી, તે પછી “હું અકાર્ય કરનારે છું, અપરાધી છું, અધમ છું,” એ ભાવ હદયમાં નહિ જાગે.વિચારો કે જીવને એમ તો પૂર્વે અહંભાવ ક્યાં મૂકે પડ્યો નથી? અને એ કેટલે ટકાવી શક્યો છે, કે અહીં ટકશે? આમ તો પરવશતામાં કે દુન્યવી સ્વાર્થપૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણય વાર જતો કર્યો છે, તે અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન તજ ? જીવે એ સમજવું જોઈએ છે કે “એ તે છે મારો પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભોગવું છું? અને હજુ પણ મારા જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી ? અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દસ્કૃતની સાચી રાહ કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જ અહંભાવ અહીં નહિ મૂકે, તે શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કૃતના ગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે? મિચ્છા મિ’ એમાં (૨) છા” નો અર્થ દેનું છાદન છે. દોષે આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષો ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દેશે પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણને અને હિતકારીપણાને ભાવ મટી ઘુણાભાવ-દુર્ગચ્છાભાવ જાગ્રત રહે. “મિચ્છામિમાં (૩) બીજા “મિરને અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલે. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથાપૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને જે એવી અપેક્ષા ન હોય
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy